જૂનાગઢના કેશોદમાં તુવેર કાંડનો પર્દાફાશ થયો છે. તુવેરકાંડ સામે આવતા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે 3 અધિકારીઓ સહિત 7 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તુવેરકાંડ સામે આવતા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 24 એપ્રિલે કેશોદના માર્કેટિંગ યાર્ડમાંથી તુવેરકાંડનો પર્દાફાશ થયો હતો. ખરીદી પૂર્ણ થતાં યાર્ડના શેડમાંથી માલ ગોડાઉન સુધી પહોંચતો કરવાનો હતો. જોકે 3 ટ્રકમાંથી નબળી ગુણવત્તાની તુવેર મળી આવી હતી. નબળી તુવેર વાળી ટેકાના ભાવે ખરીદેલી 3241 ગુણી સીઝ કરવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા કુલ 90 લાખની કિંમતનો જથ્થો સીઝ કરાયો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.. તુવેર કાંડની તપાસમાં કેશોદના રાજકીય નેતાના નામ સામે આવે તેવી શક્યતા છે.. આ કેસમાં અનેક અધિકારી અને કર્મચારીના નામ પણ ખુલી શકે છે.. આ મામલે સરકારના મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ પણ કરી છે. ત્યાર બાદ 27 એપ્રિલે ભરત વઘાસીયાની વાડીમાંથી તુવેર મળી હતી.
ભરત વઘાસીયાની વાડીમાંથી 700 બોરી શંકાસ્પદ તુવેર મળતા અનેક સવાલ ઉઠ્યા હતા.. તુવેર મળ્યા બાદ ખેડૂત હિત રક્ષક સમિતીના સભ્યોએ ઉપવાસ શરૂ કર્યા.. અને વિસાવદરના MLA હર્ષદ રિબડીયાએ ધરણા કર્યા... આ સમગ્ર મામલે કલેક્ટરે લેખિતમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.. ત્યારે હવે આ કાંડમાં ક્યા સુધી તપાસ પહોંચશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે..