ગુજરાતના બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યા, પ્રમુખોના રાજીનામા બાદ અનેક તર્ક-વિતર્ક શરૂ થયાં
ત્રણ જિલ્લા ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યા
પ્રમુખોના રાજીનામા બાદ અનેક તર્ક-વિતર્ક
જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે આપ્યુ રાજીનામું!
ગુજરાતના બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. આ અંગે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા એક પ્રેસનોટ પણ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પરંતુ જે ત્રણેય જિલ્લા ભાજપના પ્રમુખોના રાજીનામાં બાદ અનેક તર્ક વિતર્ક અને ચર્ચા શરૂ થઈ છે.
અરવિંદભાઈ વનાળિયાના રાજીનામાનું કારણ શુ?
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળિયા પ્રમુખ પદેથી રાજીનામું ધર્યું છે. તેમના રાજીનામાની અનેક અટકળો ચાલી રહી છે. એક ચર્ચા એવી છે કે, પોતાના અંગત કારણોસર તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. અરવિંદભાઈ વનાળીયા મુળ ગઢડા તાલુકાના ઈતરીયા ગામના વતની છે અને ગેજ્યુટ સુધીનો અભ્યાસ કરેલો તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂક્યાં છે. 5 મહિના પહેલા તેઓને જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખના રાજીનામા બાદ કોણ હશે નવા જિલ્લા પ્રમુખતેને લઈ ફરી જિલ્લાનો રાજકારણ ગરમાયો છે.
મુકેશ લંગાળીયાના રાજીનામાને લઈ આ અટકળો
મહત્વનું છે કે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યા અને જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાએ રાજીનામું આપ્યું છે. બન્ને પ્રમુખોએ એક સાથે રાજીનામા આપ્યા છે. ભાવનગર ભાજપે રાજીનામું આપવાના ચોક્કસ કારણ અંગે બોલવાનું ટાળ્યું છે. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા ચૂંટણી પહેલા જ અનેક વિવાદોમાં ફસાયા હતા. લોકમાં ચર્ચા ચાલી રહી છે કે, તેમની ઉપર ભાજપની મહિલા પાંખના મહિલા અગ્રણીએ અઘટિત માંગણી બાબતે ફરિયાદ કરી હતી, ચર્ચા પ્રમાણે આ મહિલા દ્વારકામાં જઈ ધરણા કરતા હતા પણ સી આર પાટીલની નજીક હોવાથી તે સમયે રાજીનામુ ન હોતું લેવાયું.
'પત્ની ધારાસભ્ય હોવાથી મારે વારંવાર ગાંધીનગર જવું પડતું'
ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડયાનું પણ રાજીનામુ લેવાયું છે ત્યારે રાજીવ પંડયા સામે સ્થાનિક કાર્યકરોએ અગાઉ અનેક ફરિયાદ ઉપર લેવલે કરી હતી તેમજ તમની વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચારની પણ ફરિયાદો ઉઠી હતી. રાજીવ પંડયાના પત્ની સેજલ પંડયા હાલ ભાવનગર પૂર્વના ધારાસભ્ય છે. તેમજ બીજી સ્થાનિક ચર્ચા એવી પણ છે કે, એક પરિવારમા બે હોદ્દા ના રાખી શકાય તે માટે રાજીનામુ આપ્યું છે. જો કે, રાજીવ પંડયાનો દાવો છે કે, મારા પત્ની ધારાસભ્ય હોવાથી મારે વારંવાર ગાંધીનગર જવું પડતું હોવાથી મેં રાજીનામુ આપ્યું છે.
જશુભાઈ પટેલે આ કારણે આપ્યું રાજીનામું
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે તેવી વિગતો સામે આવી હતી. જશુભાઈ પટેલ વ્યવસાયે બિલ્ડર છે. 1995થી આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમનું મૂળ વતન ઉમતા છે જે વિસનગર તાલુકામાં આવેલું છે. વ્યક્તિગત કારણ સર રાજીનામુ આપ્યુંનું જણાવ્યું છે. જશુભાઈ પટેલના સમયગાળામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મહેસાણાની 7 પૈકી 6 બેઠક મળી હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મહેસાણા વિધાનસભાની ટીકીટ તેમણે માગી હતી. છે