કોરોનાની ત્રીજી લહેરને લઈને ત્રણ જુદા જુદા રિપોર્ટ સામે આવ્યા છે. જેના કારણે લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. નીતી આયોગના રિપોર્ટ પ્રમાણે સરકારે લાખો બેડ તૈયાર રાખવા પડશે.
ત્રીજી લહેરને લઈને ત્રણ જુદા જુદા રિપોર્ટ
અલગ અલગ રિપોર્ટને લઈને લોકો ગૂંચવણમાં
નીતિ આયોગે લાખો બેડ તૈયાર રાખવા કહ્યું
ત્રણ અલગ અલગ રીપોર્ટથી ગૂંચવણ
કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણી ઘાતક સાબિત થઈ હતી. જેના કારણે ત્રીજી લહરેન લઈને દેશમાં ભયનો માહોલ ફેલાયેલો છે. પરંતુ ત્રીજી લહેર લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. જેથી આજે અમે તમને બધાીજ સંસ્થાના રિપોર્ટ વિશે વિગતાવર માહિતી આપીશું
પહેલો રિપોર્ટ : ઓક્ટોમ્બરમાં રોજના 5 લાખ કેસ
દેશમાં કોરોનાની બીજી લહેર ભલે શાંત પડી ગઈ હોય પરંતુ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોમ્બર મહિનામાં ત્રીજી લહેર પીક પર હશે. આ મામલે તેમણે પીએમઓ અને કેન્દ્રીય ગૃહમંત્રાલયને રિપોર્ટ મોકલ્યો પણ મોકલ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલી ખબર પ્રમાણે ઓક્ટોમ્બર મહિનામાં રોજના 5 લાખ કેસ નોંધાઈ શકે છે. જોકે માત્ર એક મહિના સુધી આવી પરિસ્થિતી રહેશે બાદમાં સ્થિતી સામાન્ય થતી જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે જોઈએ તો ત્રીજી લહેરની અસર બાળકો અને વૃદ્ધો પર પણ સમાન જોવા મળશે. સરકાર પણ આ રિપોર્ટ મળ્યા પછી એલર્ટ થઈ ગઈ છે.
બિજો રિપોર્ટ: લાખો બેડ તૈયાર રાખજો : નીતિ આયોગ
નીતિ આયોગનાં સદસ્ય પોલે કેન્દ્ર સરકારને સલાહ સૂચન કર્યા છે જેમાં તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં દર 100માંથી 23 કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. ધ ઇંડિયન એક્સપ્રેસના મીડિયા અહેવાલ અનુસાર આ પહેલા નીતિ આયોગ તરફથી સપ્ટેમ્બર 2020માં બીજી લહેરને લઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું. નીતિ આયોગીનું માનવું છે કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આયોગે એક દિવસમાં જ ચારથી પાંચ લાખ કોરોના વાયરસનાં કેસ આવશે તેવું અનુયાયમં લગાવ્યું છે અને આગામી મહિના સપ્ટેમ્બરમાં જ બે લાખ ICU બેડ તૈયાર રાખવા માટે સલાહ આપી છે. આટલું જ નહીં આ 2 લાખ બેડમાં 1.2 લાખ બેડ વેન્ટિલેટર સાથે ICU જ્યારે 7 લાખ ICU હોસ્પિટલ વગરનાં બેડ તૈયાર રાખવાની સલાહ આપી છે. 7 લાખ ICU બેડમાં પાંચ લાખ બેડમાં ઑક્સીજન રાખવા પણ નિર્દેશ કરવાની જરૂર જણાવવામાં આવી છે અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ રાખવા કહેવામાં આવ્યું છે.
કાનપુર IITનાં સિનિયર વૈજ્ઞાનિકે ત્રીજી લહેરને લઈને ઇનકાર જ કરી દીધો છે. તેમનું માનવું છે કે ત્રીજી લહેરની સંભાવના સાવ ઓછી છે. દેશમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે જેને જોતાં ત્રીજી લહેર આવે તેવું લાગી નથી રહ્યું. પ્રોફેસર અગ્રવાલે ગણિતીય સૂત્ર મોડલનાં આધારે સ્ટડી જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર યુપી અને બિહારમાં ખૂબ જ ઓછા કેસ સામે આવી રહ્યા છે અને ઓકટોબર મહિનામાં ભારતમાં એક્ટિવ કેસ ઘટીને માત્ર 15 હજાર રહી જશે.