બનાસકાંઠામાં જુદી-જુદી ત્રણ જગ્યાએ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે અંબાજી નજીક કાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અંબાજી નજીક કાર અકસ્માત
સવારે અંબાજી નજીક હડાદ રોડ પર કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા અને 5 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. તમામ યાત્રીઓ અમદાવાદના રહેવાસી છે.
ધાનેરામાં અકસ્માત
જ્યારે ધાનેરાના ઋણી અને મેવાડ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.
લાખાણી રોડ પર અકસ્માત
લાખણી હાઇ-વે પર નીલગાય વચ્ચે આવી જતા કાર પલટી મારી હતી. આથી બે લોકોને ઇજાઓ પહોંચી હતી. આમ બનાસકાંઠા રવિવાર કાળમુખો રવિવાર સાબિત થયો હતો.