બનાસકાંઠાના કુંડી ગામે એપેડેમિક ડ્રોપસીને કારણે એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકો રિફાઈન્ડ કર્યા વગરનું રાયડાનું તેલ આરોગતા હતા. જેથી તેમનું મોત થયું
એપેડેમીક ટ્રોપસીને કારણે થયા ત્રણ મોત
રિફાઈન્ડ વગરનું કાચુ તેલ બન્યું મોતનું કારણ
પરિવારના 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ
બનાસકાંઠાના કુંડી ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. જે મામલે તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય વ્યક્તિઓના મોત એપેડેમિક ડ્રોપસીને કારણે થયા હતા. રાયડાને ઘાણીમાં પિલાળી તેના તેલનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રિફાઈન્ડ વગરનું કાચું તેલ મોતનું કારણ બની જતું હોય છે.
તેલમાં હતા ઝેરી દ્રવ્યો
જે પરિવારના સભ્યોનું મોત થયું છે તે લોકોએ તેલ રિફાઈન્ડ કર્યું ન હતું. તેલમાં ઝેરી દ્રવ્યો રહેલા હોય છે, જેના કારણે વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે અને તેજ વસ્તુ પરિવારના સભ્યો સાથે જેના કારણે આસપાસના વિસ્તારમાં હાલ હડકંપ મચી ઉઠ્યો છે.
જિલ્લા આરોગ્ય ફૂડ અને મેડિકલ ટીમે તપાસ હાથ ધરી હતી
પરિવારજનોના મોત બાદ જિલ્લા આરોગ્ય ફૂડ એન્ડ મેડિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધવામાં આવી હતી. જે તપસામાં આ સમગ્ર મામલે ખુલાસો થયો. જોકે આ મામલે રાજસ્થાનના ધાનોલ ગામે ફૂડ વિભાગે ઘાડી પણ તપાસ પણ કરી હતી. પરંતું તે તપાસ બાદ વેપારીઓ ઘાણી બંધ કરીને સફુચક્કર થઈ ગયા છે. જેથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
કુલ 7 લોકોને અસર થઈ હતી
આપને જણાવી દઈએ કે રાયડાના સેમ્પલમાંથી ઝેરી આરજમન ઓઈલનું પ્રમાણ મળી આવ્યું છે. જે આપણા શરીર માંટે ઘણું નુકશાનકારક તેમજ જીવલેણ છે. આ સમગ્ર કેસમાં કુલ 7 લોકોને અસર થઈ હતી. જેમા પરિવારના 3 સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર સભ્યો અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.