જામનગરના ધ્રોલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધ્રોલના જાઈવા ગામ પાસે કાર પલટી જતા એક જ પરિવારના 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજકોટથી જામનગર જતાં કારનો અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.
જામનગરના ધ્રોલ પાસે અકસ્માતમાં 3ના મોત
અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે મોત
રાજકોટથી જામનગર જતા કારનો અકસ્માત
રાજકોટથી જામનગર જતા ધ્રોલના જાઈવા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાનો ભોગ રાજકોટના પટેલ પરિવાર બન્યો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત કોઇ વાહન સાથે અથડાઇને નહીં પરંતુ કોઇ પશુ રસ્તા પર આવી જતા દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જેમાં એક બાળક, મહિલા અને પુરૂષનું મોત થયું છે. મૃત્યુ પામનાર કમલેશ બાબુભાઇ દલસાણીયા, પરીબેન કમલેશભાઇ દલસાણીયા સહિત અન્ય એકનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાના પગલે ધ્રોલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.