પોરબંદરમાં મહિલા ફોરેસ્ટ કર્મચારીની હત્યા પછી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી ગુમ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાર લઇને જંગલમાં ગયા પછી ત્રણેય લોકો ગુમ થયા હતા. જેમાં મહિલા બીટ ગાર્ડ તેમના પતિ અને શ્રમિક એમ ત્રણ લોકોની હત્યા કરાઇ છે.
પોરબંદરમાં વનકર્મી ગૂમ થવાનો મામલો
જંગલમાં લાપતા વનકર્મી સહિત 3 લોકોના મળ્યા મૃતદેહ
મૃત્યુ પાછળનું કારણ અકબંધ
આપને જણાવી દઇએ કે, મહિલા બીટ ગાર્ડના સસરાએ પોલીસને ગુમ થયાની જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. મહિલાના પતિ કિર્તીભાઇ પોરબંદરના રાતડી ગામમાં શિક્ષક છે. અને મહિલા બીટ ગાર્ડ હેતલબેન સોલંકી પોરબંદરના ગોઢાણા બીટમાં ફરજ બજાવે છે.
પોરબંદરમાં મહિલા ફોરેસ્ટ કર્મચારીની હત્યા પછી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બે દિવસથી ગુમ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાર લઇને જંગલમાં ગયા પછી ત્રણેય લોકો ગુમ થયા હતા. જેમાં મહિલા બીટ ગાર્ડ તેમના શિક્ષક પતિ અને શ્રમિક એમ ત્રણ લોકોની હત્યા કરાઇ@GujaratPolicepic.twitter.com/ksaSq1Q3H4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 17, 2020
ત્રણેય લોકોના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા
ઉલ્લેખનીય છે કે, ત્રણેય લોકો બરડા ડુંગરામાં ગાડી લઇને ગયા હતા તે બાદ ગુમ થયા. ત્યારે વન વિભાગના સ્થાનિક કર્મચારીઓએ ત્રણેયની શોધખોળ કરી હતી પરંતુ મળ્યા ન હતા બે દિવસ બાદ હવે ત્રણેય લોકોના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણેયની હત્યા કુહાડીના ઘાથી કરાઇ છે. અને ત્રણ હત્યાઓ પછી પણ વન વિભાગ અને સ્થાનિક પોલીસ વિગતો છૂપાવી રહી છે.