જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ કહ્યું કે આ દર્દનાક દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
તમિલનાડુના ફટકડાની ફેક્ટરીમાં આગ લગતાં ત્રણ લોકોના મોત
આ દુર્ઘટમાં એક વ્યક્તિને હાલત ગંભીર
વહેલી સવારે ફેક્ટરીમાં આગ લાગી હતી.
Three dead & five injured in a fire incident at a cracker manufacturing factory near Virudhunagar District, says the Meghanatha Reddy District Collector
તમિલનાડુના ફટકડાની ફેક્ટરીમાં આગ લગતાં ત્રણ લોકોના મોત
નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલા દર્દનાક દુર્ઘટના બાદ તમિલનાડુમાં વધુ એક દુખ: સમાચાર છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ પણ થયા છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ હાલ સુધી પોલીસ અને ફાયર વિભાગની રાહત કામગીરી સ્થળ પર ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ કહ્યું કે આ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.
આ દુર્ઘટમાં એક વ્યક્તિને હાલત ગંભીર
ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી અનુસાર, આ વ્યક્તિ 20 ટકા દાઝી ગયો છે, ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.
વહેલી સવારે ફેક્ટરીમાં આગ લાગી હતી.
તમને જણાવી દઈએ કે આ અકસ્માત આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ થયો હતો, પરંતુ પોલીસ અને ફાયર વિભાગને 9 વાગે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
#UPDATE: 12 dead, 13 injured in the stampede at Mata Vaishno Devi Bhawan in Katra. The incident occurred around 2:45 am, and as per initial reports, an argument broke out which resulted in people pushing each other, followed by stampede: J&K DGP Dilbagh Singh to ANI
આ પહેલા કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં પણ એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. જેમાં મંદિર પરિસરમાં નાસભાગમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. તમામની સારવાર ચાલી રહી છે.