અમદાવાદ જેના નામથી પ્રખ્યાત છે તે કાંકરિયામાં ગંભીર દુઘટના બની હતી. અહીં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ વધારે વજનના કારણે તૂટી હતી. જેમાં ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રવિવાર અને ગૌરીવ્રત હોવાથી કાંકરિયામાં લોકોની ભીડ જામી હતી. તો રાઈડમાં પણ મોટી સંખ્યામાં લોકો બેઠા હતા. 32 લોકોની સંખ્યાવાળી આ ડિસ્કવરી રાઈડમાં 31 લોકો બેઠા હતા. ત્યારે તે 50 ફૂટથી ઉંચે જતી વેળાએ તૂટી પડી હતી. હાલ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે આ દુર્ઘટનામાં જવાબદાર કોણ?