જો તમારે બેન્કનું કોઇ મહત્વનું કામ કરવાનું બાકી રહી ગયું હોય તો હવે તમારે સોમવાર સુધી રાહ જોવી પડશે. હકીકતમાં આગામી ત્રણ દિવસ સુધી દેશનાં મોટાભાગની બેન્કોમાં કામકાજ બંધ રહેશે.
શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ બેંક બંધ
સોમવાર પહેલા નહીં થાય બેંકના કામકાજ
મહાશિવરાત્રીની રજા, ચોથો શનિવાર હોવાથી રજા
તેથી તમારે હવે બેન્કના કામ પતાવવા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે. 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી હોવાથી બેન્કોમાં રજા રહેશે. સાથે જ 22 ફેબ્રુઆરીએ મહિનાનો ચોથો શનિવાર છે અને 23 ફેબ્રુઆરીએ રવિવાર છે. આથી 3 દિવસ બેંકો બંધ રહેશે. તેમજ ઘણી કોર્પોરેટ કંપની અને સરકારી કચેરીઓમાં પણ લોંગ વિક એન્ડ મળ્યો છે.
આ ત્રણ દિવસો દરમિયાન બેન્કો બંધ રહેશે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ત્રણ દિવસોમાં દેશના અનેક હિસ્સામાં એટીએમમાં પણ હેરાનગતી થઈ શકે છે. તેથી રોકડની હેરાનગતી ન થાય તે માટે પહેલાંથી જ રોકડની વ્યવસ્થા કરી લો.
જો કે આ દરમિયાન ઑનલાઇન બેન્કિંગ પર કોઈ અસર નહી થાય. તમે ઑનલાઇન બેન્કિંગનો ઉપયોગ પહેલાની જેમ જ કરી શકશો. સાથે જ બેન્કમાં કામકાજ કરાવવા માટે તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે. બની શકે તો 3 દિવસ તમે ઓનલાઈન પેમેન્ટ પર ભાર મુકો. લોંગ વિક એન્ડને લઈને ઘણા બધા લોકો એ પ્રવાસના પ્લાન પણ બનાવ્યાં છે. જેના કારણે અનેક તીર્થ સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.