ચાલુ વર્ષે ઉનાળો આકરો રહેવાના અણસાર છે. એપ્રિલ મહિનામાં જ સરેરાશ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગે આંશિક રાહતના સમાચાર આવ્યા છે.
ગરમીના પ્રકોપથી આંશિક રાહત મળશે
ત્રણ દિવસ ગરમીથી મળશે આંશિક રાહત
રાજ્યમાં હીટવેવની કોઇ આગાહી નહીં
રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગે ગરમીના પ્રકોપથી આંશિક રાહતની આગાહી કરી છે. ત્રણ દિવસ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. હાલ રાજ્યમાં હીટવેવની કોઇ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ગરમીમાં વધારો થશે.
ગરમીથી રાહત મેળવવા લોકોએ લીધો ઠંડાપીણાનો સહારો
વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વડોદરમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચ્યો છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડાપીણાનો સહારો લઇ રહ્યા છે. લોકો શેરડીનો રસ, તરબૂચ, સંતરાનો જ્યુસ અને લસ્સી પી રહ્યા છે.
અંગ દઝાડતી ગરમીને કારણે રોગચાળામાં વધારો
એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં આકરી ગરમી સાથે જ રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. તો બીજી તરફ હવામાનની હીટવેવની આગાહી પ્રમાણે પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી. અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસ વધે છે. ઝાડા-ઉલટીના 515 કેસ, કમળાના 134 કેસ નોંધાયા. જ્યારે ટાઇફોઇડના 138 જેટલા કેસો શહેરભરમાં નોંધાયા છે. કોલેરાના 2 કેસ નોંધાયા. રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ. સિકંજી, ઠંડા પીણા અને પાણીના પ્રદૂષણથી રોગચાળો વકર્યો.