નવી દિલ્હી: બેંક 28 થી 30 એપ્રિલ સુધી સતત 3 દિવસ બંધ રહેશે. એવામાં એક વખત ફરીથઈ લોકોને રોકડની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં 28 એપેર્લે મહિનાનો ચોથો શનિવાર છે બીજા દિનસે રવિવાર છે અને સોમવારે બુદ્ધ પૂર્ણિમાની રજાના કારણએ બેંક બંધ રહેશે. થોડાક દિવસો અગાઉ આશરે 8 રાજ્ય દિલ્હી NCR ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર તેલંગાના ઝારખંડ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રોકડની સંકટ રહી હતી. એટીએમમાં રોકડ નહીં હોવાની ફરિયાદ મળી હતી.
3 દિવસની રજા હોવાને કારણે આમ તો બેંક વધારે રોકડની વ્યવસ્થા કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોની પરિસ્થિતિને કારણે સ્થિતિ બગડી શકે છે. દેશના ઘણા ભાગોમાં એટીએમ ખાલી હોવા પર સરકારે ઘણી વખત સ્રષ્ટતા આપવી પડી હતી. RBI અને SBIએ પણ રોકડની સમસ્યા ના હોવાની વાત કહી હતી. સાથે જે વિસ્તારમાં ફરીયાદ મળી રહી હતી ત્યાં વધારે રોકડ પણ મોકલવામાં આવી હતી.
મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. સપ્ટેમ્બર 2015થી આ વ્યવસ્થા લાગૂ છે. બેંક કર્મચારીઓની માંગણીઓના આધાર પર સરકારે એને લાગૂ કર્યો હતો.
એટીએમમાં પૈસાની કમીનો સામનો કરી રહેલા નાના કસ્બાના લોકો એસબીઆઇના પોશ મશીનોમાંથી પણ પૈસા નિકાળી શકે છે. પૌસ મશીનોથી એક દિવસમાં 2000 રૂપિયા સુધીની જ રકમ નિકાળી શકાય છે. એમાં કોઇ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.