અમરેલીઃ અમરેલીમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ખાંભાના ખડાધાર રેવન્યૂ વિસ્તારમાં 3 સિંહબાળનાં મોત થયા છે. ઈન્ફાઈટમાં સિંહબાળના મોત થયા હોવાનું પ્રાથમીક તારણ છે. આ મોત મામલે વનવિભાગે દાવો કર્યો છે કે ઈન્ફાઈટના કારણે જ સિંહના મોત થયા છે. તમામ મૃત સિંહની બોડી પર દાંતના ઘા મળી આવ્યા છે.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ એક સિંહણ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે એવી શક્યતાઓ જણાવાય રહી હતી કે આ ઘાયલ સિંહણના બચ્ચાં હોવાનું અનુમાન હતું. પરંતુ વનવિભાગ આ વાતની પુષ્ટી નથી કરતું. વનવિભાગ દ્વારા પ્રાથમિક તપાસમાં આ સિંહબાળના મોત ઇન્ફાઇટમાં થયા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે ગીર જંગલ વિસ્તારની દલખાણીયા રેન્જમાં 23ના મોત થયા હતા. જ્યારે 36 જેટલા સિંહોને અમેરિકાથી મંગાવાયેલી રસી આપવામાં આવી હતી. આ સિંહોના મોત મામલે સમગ્ર પંથક અને રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.