શ્રીનગરના લાલચોકમાં પોલીસ પાર્ટી પર થયેલા આતંકી હુમલામાં એક એેએસઆઈ શહીદ થયા હતા તથા બે જવાન ઘાયલ થયા હતા.
શ્રીનગરમાં આતંકીઓનું નાપાક કૃત્ય
પોલીસ પાર્ટી પર આતંકી હુમલો
એક ASI શહીદ
બે જવાન પણ ઘાયલ થયા
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા હતા જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ આતંકી હુમલો પોલીસ ટીમ પર થયો હતો. શહીદ થયેલા એએસઆઈનું નામ મુશ્તાક અહમદ છે. શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર ઘાયલ પોલીસકર્મીઓમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક એસપીઓ સામેલ છે.
One police personnel succumbed to his injuries, and two others are undergoing treatment after terrorists fired upon police naka party at Lal Bazar area of Srinagar city: Jammu and Kashmir Police
Jammu and Kashmir | Chinar warriors averted a major terror attack today by recovering an IED comprising of a 5kg LPG Cylinder & 5kg explosive at Chaudhari Baug Rd, Pulwama: Chinar Corps, Indian Army pic.twitter.com/ekIGWVt0K1
પુલવામામાં 5kg LPG સિલિન્ડર અને 5kg વિસ્ફોટક મળ્યાં
પુલવામાં એક મોટો આતંકી હુમલો ટળી ગયો છે. ચીનાર વોરિયર્સના જવાનોને પુલવામાના ચોધરી બાગ રોડ પરથી 5kg LPG સિલિન્ડર અને 5kg વિસ્ફોટક મળ્યાં હતા. આતંકીઓએ ચોધરી બાગ રોડ પર એક ઠેકાણે આ વિસ્ફોટકો છુપાવી રાખ્યાં હતા અને સદનસીબે બહાદુર જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. આને કારણે મોટી આતંકી ઘટના ટળી ગઈ હતી.
આતંકી પાસેથી અનેક હથિયારો મળી આવ્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અવંતીપોરા વિસ્તારના વંડકપોરામાં સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ પ્રવક્તાએ ટ્વીટ કર્યું, "આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે. અન્ય આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. યુએસ-નિર્મિત રાઇફલ (એમ -4 કાર્બાઇન), એક પિસ્તોલ અને અન્ય સામગ્રી, શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે, "અધિકારીએ જણાવ્યું હતું કે, "કોકા આતંકવાદ સંબંધિત અનેક ઘટનાઓમાં વોન્ટેડ હતો.
આતંકવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર દરમિયાન બે સ્થાનિક આતંકવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના હદીગામ વિસ્તારમાં થયું હતું. જો કે, આતંકવાદીઓએ તેમના માતા-પિતા અને પોલીસની અપીલ પર સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કાશ્મીર વિસ્તારની પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, "એન્કાઉન્ટર દરમિયાન બે સ્થાનિક આતંકવાદીઓએ તેમના માતા-પિતા અને પોલીસની અપીલ પર આત્મસમર્પણ કર્યું હતું. તેમની પાસેથી કેટલીક સંવેદનશીલ સામગ્રી, શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે.