જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં શુક્રવારે LoC પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 નાગરિકોના મોત થયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે.
પૂંછમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર
ખારી ખમરારા સેક્ટરમાં LoC પર ફાયરિંગ
પાકિસ્તાની ફાયરિંગમાં 3 ભારતીય જવાનોના મોત
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગની ઝપેટમાં મોહમ્મદ રફીકનું ઘર આવી ગયું હતું. જેમાં મોહમ્મદ રફીક(58), તેમની પત્ની રાફિયા બી(50) અને તેમનો દિકરો (15/16) ઇરફાનનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું. LoC પર વારંવાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઇએ કે LoC પર પાકિસ્તાની સેનાની આ નાપાક હરકત સતત ચાલુ છે. પૂંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં 8 જુલાઈએ પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં એક નાગરિકનું મોત થઇ ગયું હતું, જ્યારે બીજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
છેલ્લા એક મહિનાથી પાકિસ્તાન અનેક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે. 30 જૂને પણ પાકિસ્તાન તરફથી બારામૂલા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના ચિનાર કૉર્પ્સ અનુસાર પાકિસ્તાન તરફથી 30 જૂનની સવારે મોર્ટાર હુમલો કરવામાં આવ્યો. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.