અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાળામાં ભણતા ત્રણ બાળકો ફિલ્મ જોઇને એવું માની બેઠા કે ભગવાન ભોલેનાથના દર્શન કરવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને એટલે જ કોઈને ખબર ન પડે તે રીતે તે ટ્રેનમાં બેસીને સોમનાથ મંદિર પહોંચી ગયા.
બીજી તરફ બાળકો ગુમ થવાથી તેમના પરિવારમાં નાસભાગ મચી ગઇ અને તેના પરિજનો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાળકોના અપહરણની ફરિયાદ નોંઘી તપાસ કરતા વેરાવળ રેલવે સ્ટેશન બાળકો હેમખેમ મળી આવ્યા હતા.
ગુમ થયેલ આ ત્રણે બાળકો વેરાવળ રેલવે સ્ટેશનથી રેલવે પોલીસને મળી આવ્યા હતા. પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે માલુમ પડ્યું હતું કે એક ફિલ્મ જોયા બાદ ભગવાન ભોલેનાથ મનોકામના પૂર્ણ કરશે તે વિચારીને ત્રણે બાળકો ભાવનગર વેરાવળ આવી પહોંચ્યા હતા. બાળકો રેલવે સ્ટેશન પર રમતા હતા ત્યારે પોલીસને કેટલા બાળકોને જોઈ તમે શંકા ગઈ હતી જેથી પૂછપરછ કરતા તમામ હકીકત ખૂલીને બહાર આવતા વેરાવળ રેલવે પોલીસે નરોડા પોલીસ સ્ટેશનને તેણે બાળકો મળ્યા હોવાની માહિતી આપી હતી. જે બાબતની જાણ નરોડા પોલીસે તેમના પરિવારજનોને કે માતા-પિતા સહિતના તમામ પરિવારજનો બાળકો લેવા માટે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
ગુમ થયેલ બાળકો પૈકી 10 વર્ષિય બાળક તેની બે બેહનો સાથે નરોડાથી કલોલ સુધી એસટી બસમાં ટિકિટ લઇ ગયો હતો. બાદમાં કલોલ રેલવે સ્ટેશનથી સોમનાથ જવા માટે ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી સોમનાથ પહોંચી ગયા હતા. ત્યાર બાદ વેરાવળ પોલીસ બાળકો પાસેથી તમામ માહિતી મેળવી હતી. પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે રૂદ્રરક્ષક ફિલ્મ જોઇ તેમાં એક સીનમાં બતાવ્યુ હતુ કે સોમનાથ દાદા દર્શન કરાવથી શક્તિ મળે છે.
આ ઘટના પછી એકવાર ચોક્કસથી ફલિત થાય છે કે ફિલ્મો અને ટીવી સીરીયલો જોઈને બાળકો અને યુવાનો કેટલીક વાર ખોટા માર્ગે દોરવા જતાં હોય છે જેના કારણે પડે પરિવારને પરેશાન થવાનો વારો આવતો હોય છે.