અરવલ્લીમાં ઘરકંકાસમાં પિતાએ જ ત્રણ બાળકોની હત્યા કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
3 બાળકોના મૃતદેહ મળવાનો મામલો
પિતાએ જ ત્રણ બાળકોની કરી હત્યા
બાળકોની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના વૈડી ડેમમાંથી 3 બાળકના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં પિતાએ બાળકોની નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે બાળકોની હત્યા બાદ પિતાએ પણ ઝાડ પર ગળોફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું પિતાને બચાવી લેવામાં આવ્યો હતો.
પિતાએ જ ત્રણ બાળકોની કરી હત્યા
જો કે પોલીસ તપાસ ચૌંકાવનારી વિતગતો સામે આવી છે. આરોપીએ અઠવાડિયા પહેલા પત્ની ઉપર પણ ડાકણ હોવાનો વ્હેમ રાખીને તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં તે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જે બાદ આરોપી પિતાએ ઘરકંકાસમાં આવેશમાં આવી ત્રણેય બાળકોની નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી, જે બાદ બાળકોની મૃતદેહને વૈડી ડેમમાં પધરાવી દીધા હતા.
બાળકોની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ
જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં બાળકોની હત્યા બાદ પિતાએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ગળોફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું પિતાને બચાવી લેવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાને લઈને વધુ તપાસ કરી રહી છે.