સુરતની તાપી નદી કિનારે રમી રહેલા ત્રણ બાળકો ભરતીને કારણે પાણીમાં ફસાઈ ગયા હતાં. જે પૈકી 2 બાળકોનું ડૂબી જતાં મોત થયું છે અને એક બાળકીની શોધખોળ ચાલુ છે.
સુરતની તાપી નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા
2 બાળકોના મૃત્યુ, એકની શોધખોળ
નદીમાં ભરતીનું પાણી આવતા બાળકો ફસાયા
સુરતની તાપી નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા
સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલા 2 બાળકો અને 1 બાળકી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા.જે પૈકી 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે મોડે સુધી એક બાળકીનો પત્તો લાગ્યો ન હતો.
નદીમાં દરિયાની ભરતીનું પાણી આવતા ત્રણેય બાળકો ફસાયા હતા
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાંદેરમાં રહેતા ત્રણે બાળકો તાપી નદીના પટ પર ગતરોજ બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા.
બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે શોધખોળને અંતે બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે મોડીસાંજ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી.બીજી તરફ આ ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણેય બાળકો રાંદેરના ઇકબાલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં હતાં.