સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા ગયા છે. આ ડૂબી ગયેલા 3 બાળકોમાંથી 2 બાળકોના મૃત્યુ થયા છે. જયારે અન્ય એક બાળકની સારવાર ચાલી રહી છે.
વઢવાણની ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા
ડૂબી ગયેલા 3 બાળકોમાંથી 2 બાળકોના મૃત્યુ થયા
અંદાજે 12 થી 14 વર્ષની ઉંમરના બાળકો નદીમાં રમવા ગયા હતા
વઢવાણની ભોગાવો નદીમાં ખનન માફીયાઓનુ રાજ છે. આ માફિયાઓએ નદીને ખોદી નાખી છે, જેને લઇને ખુબ મોટા ખાડા થઇ ગયા છે. ત્યારે આજ રોજ આ ખાડાએ 2 બાળકોનો ભોગ લીધો છે. ભોગાવો નદીમાં રમવા ગયેલા 3 બાળકો ડૂબ્યા હતા. જેમાંથી 2 બાળકોના ડૂબી જતા મોત થયા હતા અને એક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા વઢવાણ પોલીસ અને સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ભોગાવો નદીમાં અવારનવાર ન્હાવા પડેલા લોકોના ડુબી જવાના કારણે અકાળે મોત થયાની ઘટના બનતી રહે છે. આજે અહીં નદીમાં અંદાજે 12થી 14 વર્ષની ઉંમરના ત્રણ બાળકો અચાનક ડુબવા લાગ્યા હતા. જેમાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જોકે આસપાસના લોકોની સુઝબુઝના કારણે એક બાળકને બચાવવામાં સફળતા મળી હતી.
આ ઘટના બાદ ભોગાવો નદીમાં બિનકાયદેસર ખનન મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આ ઘટનાના કારણે પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી.