રાજકોટના પાળ ગામે 3 બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવતા પરિવારજનો અને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. આ ઘટનાના પગલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટના પાળ ગામે ત્રણ બાળકો નાળામાં ડૂબ્યા.જેમાં ત્રણે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતક ત્રણે બાળકોની ઉંમર આશરે 10થી 12 વર્ષની છે. પ્રાથમિક તપાસમાં ત્રણે બાળકો રમતા રમતા નાળામાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ બાળકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.
ત્યારે ગામમાં એક સાથે ત્રણ બાળકો મોતને ભેટતા સમગ્ર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
મહત્વનું છે કે, હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અનેક વાર બનતી જોવા મળે છે. ત્યારે લોકોએ પોતાના બાળકો પર યોગ્ય ધ્યાન રાખવું અને જરૂરી માર્ગદર્શન આપવું જોઇએ.