પંજાબના કિરતપુર સાહિબમાં રવિવારે એક દર્દનાક દુર્ઘટના બની હતી જેમાં ટ્રેનની ચપેટમાં આવતા 3 બાળકોના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પંજાબના કિરતપુર સાહિબમા દર્દનાક દુર્ઘટના
મજૂરોના ચાર બાળકો આવ્યાં ટ્રેનની ચપેટમાં
રવિવારની રજા હોવાથી પાટા પાસે જાબુ ખાઈ રહ્યાં હતા
ભૂલથી પાટા પર આવી ગયા એટલીવારમાં ટ્રેને લઈ લીધા ચપેટમાં
પંજાબના કિરતપુર સાહિબમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. કિરતપુર સાહિબમાં રવિવારની રજા હોવાથી જાંબુ ખાઈને પાછા આવી રહેલા 4 બાળકો પેસેન્જર ટ્રેનની ચપેટમાં આવ્યાં હતા જેમાં 3 બાળકોના મોત થયા હતા અને 2 ગંભીર રીતે ઘાયલ થયો હતો. તમામ બાળકો પાટા નજીકની ઝાડીઓમાં જાંબુ અને બોર ખાવા માટે આવ્યાં હતા પરંતુ ભૂલથી પાટા પર આવી ગયા હતા અને સામેથી આવી રહેલી ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનને રોકવામાં આવી હતી. ગાર્ડ ગંભીર રીતે ઘાયલ બાળકને વાહનમાં કિરતપુર સાહિબ રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. આ અકસ્માતમાં બચી ગયેલા બહરનનો પુત્ર ચોથો બાળક પવન ઘરે પહોંચ્યો હતો અને તેણે પરિવારને ઘટનાની જાણ કરી હતી. સાથે જ રડતો પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
पंजाब: कीरतरपुर साहिब में ट्रेन की चपेट में आकर 3 बच्चों की मृत्यु हो गई और एक घायल है।
ASI, GRP जगजीत सिंह ने कहा, "2 बच्चों की मौके पर ही मृत्यु हो गई। अस्पताल ले जाते समय एक की मृत्यु हुई। घायल का इलाज चल रहा है।" pic.twitter.com/ROV0d0vuqt
પાટા નજીકની ઝાડીઓમાં જાંબુ અને બોર ખાવા ગયા હતા
સીમાના રહેવાસી દાના મંડીએ જણાવ્યું કે, રવિવારની રજા હોવાથી બાળકો પાટા નજીકની ઝાડીઓમાં બોર અને જાંબુ ખાવા માટે ગયા હતા. જાંબુ અને બાર ખાઈને તેઓ ઘેર આવી રહ્યા હતા ત્યારે પાટા પર આવ્યાં હતા અને આ દરમિયાન એક ટ્રેનની ચપેટમાં આવી હતી. મૃતકોની ઓળખ અર્જુન મહાતોનો પુત્ર નરેન્દ્ર મહાતો ઉર્ફે રોહિત (11) ચોથા ધોરણનો વિદ્યાર્થી હતો. જ્યારે બાદમાં વિક્કી ચૌધરી (7) પુત્ર અર્જુન ચૌધરીનું મોત થયું હતું. ત્રીજા મૃતક બાળકની ઓળખ સ્વર્ગસ્થ રામદુલરના પુત્ર મહેન્દ્ર (7) તરીકે થઈ છે. આ ત્રણેય પરિવારો મૂળઝારખંડના સાહિબગંજ જિલ્લાના છે.
बच्चे यहां पेड़ों से जामुन खाने आए थे और उन्हें पता ही नहीं चला कि एक ट्रेन उनके पास आ रही है: जगजीत सिंह, ASI, GRP, कीरतरपुर साहिब, पंजाब
અકસ્માતમાં બચી ગયેલા બહેરીનના પુત્ર પવન (10) પ્રથમ ધોરણનો વિદ્યાર્થી હતો. પવનનો પરિવાર બિહારનો છે. ટ્રેનની અડફેટે આવી ગયેલા બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ પરપ્રાંતિય મજૂરો છે અને ઝુંપડપટ્ટીમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ સાથે જ લોકોએ પંજાબસરકારને પીડિત પરિવારને આર્થિક મદદ કરવા માટે વિનંતી કરી છે. રેલવે સ્ટેશન કિરાતપુર સાહિબના સ્ટેશન માસ્ટર રોડસ સિંહના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર ટ્રેન સવારે લગભગ 11:15 વાગ્યે ભારતગઢ રેલવે સ્ટેશનથી કિરતપુર સાહિબ તરફ આવી હતી. ટ્રેનને ઘટના સ્થળે જ રોકી દેવામાં આવી હતી.