રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ બાળકોએ આપઘાત કરી લીધો છે. હિમતનગરમાં 9 વર્ષની બાળકીએ તો રાજકોટમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તથા મોરબીમાં 13 વર્ષના સગીરે નજીવા કારણોસર આપઘાત કરી લેતા સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાળકને પુરતો સમય ન આપતા માતા-પિતા ચેતજો
ગુજરાતમાં ત્રણ દિવસમાં ત્રણ બાળકોનો આપઘાત
નીચે જાણીલો માતાપિતાએ શું રાખવું જોઈએ ઘ્યાન
આજ કાલ માતા-પિતા પોતાની વ્યસ્ત લાઇફ સ્ટાઇલમાં બાળકોને પુરતો સમય આપતા નથી, તો બીજી તરફ અમુક માતા-પિતાતો સામેથી પોતાના બાળકને મોબાઇલ આપીને વ્યસ્ત રાખતા હોય છે, જેથી તેમને કોઇ પરેશાની ન થાય. માતા-પિતાના આ વલણને કારણે બાળકો સતત મોબાઇલના સંપર્કમાં આવે છે, જેના કારણે બાળકો સ્વભાવે ચીડીયા, તોછડા અને જીદ્દી બની જાય છે. તથા મોબાઇલમાં આવતા ક્રાઇમ કન્ટેન્ટનના કારણે બાળકોના માનસ પર ગંભીર અસર પડે છે, પરિણામે તેના ખરાબ પરિણામ આવે છે. આખરે માતા-પિતાએ પોતાના બાળકને ગુમાવવાનો વારો આવે છે. આમ છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં બનેલી ચિંતાજનક ઘટનાએ સમાજ સામે મોટો સવાલ ઉભો કરી દીધો છે. તથા આવનારા સમયમાં સમાજે આ વિષય પર ચોક્કસથી ગંભીર વિચાર વિમર્શ કરવાની તાતી જરૂર ઉભી થશે.
પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હતો તે સમયે બાળકીએ કર્યો આપઘાત
આપઘાત કરનાર બાળકી નિયમિત રીતે CID ક્રાઇમ જેવા કાર્યક્રમ જોતી હતી
મોરબીમાં સગીરના આપઘાતનો મામલો શું છે ?
મોરબીમાં 13 વર્ષના સગીરનો આપઘાત
જુના ઘુંટુ વિસ્તારમાં સગીરનો આપઘાત
13 વર્ષના સગીરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો
પિતાએ મોબાઇલ રિપેર ન કરાવી આપતા આપઘાત કર્યો
નજીવી બાબતે સગીરને લાગી આવતા કર્યો આપઘાત
બાળકોના આપઘાત - માતાપિતા શું ઘ્યાન રાખે ?
છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં ત્રણ બાળકોએ આપઘાત કર્યો
ત્રણ દિવસમાં 10થી 13 વર્ષના બાળકોએ આપઘાત કર્યો
સાબરકાંઠા, રાજકોટ અને મોરબીમાં બાળકોએ આપઘાત કર્યો
બાળકો કેમ આપઘાત કરે છે તે અત્યારે સમાજનો ગંભીર મુદ્દો
સોશિયલ મીડિયાની દુનિયામાં માતા-પિતા બાળકને સમય આપતા નથી
માતા-પિતા સોશિયલ મીડિયમાં બાળકોને લાઇક-ડીસલાઇક કરે છે
કામના ભારણને કારણે માતા-પિતા બાળકને મોબાઇલમાં વ્યસ્ત રાખે છે
નાના બાળકો સતત મોબાઇલમાં રહેવાથી જીદ્દી અને તોચડા બની જાય છે
મોબાઇલમાં ક્રાઇમ સિરિયલ જોવાથી બાળકના મગજ પર અસર પડે છે
માતા-પિતા મોબાઇલ આપીને છુટ્ટી જાય છે બાળક શું જોઇ છે તે ધ્યાન રાખતા નથી
મોબાઇલની કુટેવના કારણે બાળકમા ચીડીયાપણું આવી જાય છે
મોબાઇલ કુટેવથી બાળકનું ભણતરમાં પણ ધ્યાન રહેતું નથી
માતા-પિતા જ આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે
માતા-પિતા પોતે સોશિયલ મીડિયામાં સેલ્ફ નિયંત્રણ મુકી શકે છે
માતા-પિતા પોતે ઘરમાં જરુર પુરતો મોબાઇલ ઉપયોગ કરીને બાળકને શિખ આપી શકે
નાના બાળકોને મોબાઇલની જગ્યાએ પરંપરાગત રમત તરફ વાળી શકે
બાળકો આપઘાત કેમ કરે છે?
ત્યારે સવાલ થાય છે કે, બાળકો કેમ આપઘાત કરે છે અને બાળકોની માનસિક સ્થિતિ કેમ બગડે છે? મોબાઈલ યુગના કારણે બગડે છે સ્થિતિ? કેમ નાના બાળકો આપઘાત તરફ વળે છે? TV સિરિયલ, શૉ અને અન્ય કારણો જવાબદાર છે? સાયકોલોજીસ્ટોના શું છે મત? માતા-પિતાએ શું રાખવું પડશે ધ્યાન? બાળકની સ્થિતિ કેમ બગડે છે? બાળકોની આસપાસ બનતી ઘટના જવાબદાર છે?