સરકારે મંગળવારે કહ્યું કે, પાકિસ્તાનમાં ભૂલથી જઈ પડેલી મિસાઈલ માટે વાયુસેનાના 3 અધિકારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે.
9 માર્ચના રોજ ભૂલથી ભારતીય મિસાઈલ લોન્ચ થઈ ગઈ હતી
આ મિસાઈલ પાકિસ્તાનની જમીન પર જઈને પડી હતી
કેન્દ્ર સરકારે ત્રણ અધિકારીઓને આ મામલે ડિસમિસ કર્યા
સરકારે મંગળવારે કહ્યું કે, પાકિસ્તાનમાં ભૂલથી જઈ પડેલી મિસાઈલ માટે વાયુસેનાના 3 અધિકારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. આ વર્ષની શરુઆતમાં ભારતની બ્રહ્મોસ મિસાઈલ ભૂલથી શૂટ થઈ ગઈ હતી. વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એક બ્રહ્મોસ મિસાઈલ ભૂલથી 09 માર્ચ 2022ના રોજ શૂટ થઈ ગઈ હતી. ઘટના માટે જવાબદાર ત્રણ અધિકારીઓને સેવામાંથી તત્કાલ પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, વાયુસેનાના કાર્યાલય તરફથી એર વાઈસ માર્શલને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની આકસ્મિક ફાયરિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. વિસ્તૃત તપાસ બાદ ત્રણ લોકોને ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
The officials who have been terminated from service include a Group Captain, a Wing Commander and a Squadron Leader. The officers deviated from the standard operating procedures which led to the accidental firing of the missile: Indian Air Force (IAF) officials https://t.co/RaFunyuSZF
આપને જણાવી દઈએ કે, 9 માર્ચના રોજ ભૂલથી એક મિસાઈલ પાકિસ્તાનની જમીન પર જઈને પડી હતી. પાકિસ્તાન દ્વારા મામલો ઉઠાવ્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે 15 માર્ચના રોજ સંસદમાં વિસ્તૃત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ સાથે જોડાયેલી ઘટનાની ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ આપી દીધા છે. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે, દુર્ભાગ્યથી 9 માર્ચના રોજ એક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી. આ ઘટના નિયમિત નિરીક્ષણ દરમિયાન થઈ હતી. અમને બાદમાં ખબર પડી કે, આ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી હતી.