ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથને ફોન પર 4 દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડાયલ 112 સેવા પર મેસેજ કરી ધમકી આપવામાં આવી છે.
CM યોગી આદિત્યનાથને મળી ધમકી
ફોન પર જાનથી મારી નાખવાની ધમકી
4 દિવસમાં જાનથી મારી નાખવાનો કર્યો દાવો
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડાયલ 112 સેવા પર મેસેજ કરીને આ ધમકી આપવામાં આવી છે. અગાઉ પણ CM યોગીને મારી નાખવાની ધમકી મળી હતી. હવેની ધમકીમાં કહેવાયું છે કે 4 દિવસમાં જે થાય એ કરી લો. હાલમાં આ મેસેજ કરનારની શોધખોળ શરૂ કરાઈ છે.
સંદિગ્ધે મેસેજમાં પોલીસને પણ આપી છે ચેલેન્જ
કહેવાઈ રહ્યું છે કે 29 એપ્રિલે મોડી સાંજે યૂપી પોલીસની ઈમરજન્સી સેવા ડાયલ 112 વોટ્સએપ નંબર પર કોઈ સંદિગ્ધ વ્યક્તિએ મેસેજ કરીને સીએમ યોગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેણે લખ્યું છે કે 5મા દિવસે તે તેમને મારી નાંખશે. પોલીસને પણ ચેલેન્જ કરી છે કે તમે 4 દિવસમાં મારું જે કરી શકો તે કરી લો.
અગાઉ પણ સીએમ યોગીને મળી ચૂકી છે ધમકી
આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથને મે 2020માં બમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 112ની સોશ્યલ મીડિયા ડેસ્કના વોટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ મોકલાયો હતો. ધમકીની સાથે સીએમ યોગીને એક વિશેષ સમુદાયને માટે ખતરો ગણાવાયા હતા. આ કેસમાં પોલીસે ગોમતીનગર સ્ટેશનમાં કલમ 5050(1)બી અને 507, 506ના આધારે કેસ નોંધ્યો હતો.