કર્ણાટકના બે પૂર્વ સીએમ અને પ્રસિદ્ધ પ્રગતિશીલ સાહિત્યકાર કે, વીરભદ્રપ્પા સહિત 64 લોકોને જાનથી મારી નાખવાની ધમકીભર્યો મેસેજ મળ્યો છે.
કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ
બે પૂર્વ સીએમ સહિતના નેતાઓને મળી ધમકી
અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી લેવાની ધમકી
કર્ણાટકમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી અને પ્રસિદ્ધ પ્રગતિશીલ સાહિત્યકાર કે, વીરભદ્રપ્પા સહિત 64 લોકોને જાનથી મારી નાખવાની ધમકીભર્યો મેસેજ મળ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ મોકલનારાએ લખ્યું છે, મોત તમારા માથે મંડરાઈ રહ્યું છે. અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી લો. પોલીસ વિભાગે આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે.
બે પૂર્વ સીએમ સહિત આટલા લોકોને મળી ધમકી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પૂર્વ સીએમ કુમારસ્વામી અને પ્રસિદ્ધ સાહિત્યકાર કે વીરભદ્રપ્પા સહિત 64 લોકોને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખ્યું છે, મોત તમારી માથે મંડરાઈ રહ્યું છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રાખો. મેસેજ મોકલનારા શખ્સે પોતાની જાતને સહિષ્ણુ હિન્દુ ગણાવ્યો છે. પોતાના મેસેજમાં લખ્યું છે કે, તમે વિનાશના પથ પર છો. મોત તમારી નજીક છે. હવે તૈયાર રહો. મોત કોઈ પણ રીતે તમે ચોંકાવી શકે છે. પોતાના પરિવારને જાણ કરી દો. તમારા અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી લો.
ધમકીને હળવાશ ન લેવી જોઈએ
પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ સરકારને આ પ્રકારની ધમકીઓને હળવાશથી નહીં લેવાની ચેતવણી આપી છે. તેમણે સત્તાધારી ભાજપથી પ્રગતિશીલ વિચારક અને લેખક કે. વીરભદ્રપ્પા અને રાજ્યમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર સરકારના મૌનનો વિરોધ કરનારા અન્ય લેખકોને પણ સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો છે.
હિન્દુ સંગઠનોએ મુસ્લિમોની પ્રવૃતિઓ પર પ્રતિબંધો લગાવ્યા
પ્રસિદ્ધ કાર્યકર્તા અને લેખક પ્રો. એમ.એમે કહ્યું કે, વિકાસે રાજ્યમાં ચિંતા ઉભી કરી છે. કોર્ટના નિર્ણય વિરુદ્ધ હિજાબ વિવાદ અને મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ, હિન્દુ સંગઠનોએ મંદિરોમાાં મુસ્લિમ વેપારીઓ, હલાલ માંસ, મુસ્લિમ મૂર્તિકારો, સામાન્ય વેપારીઓએ ત્યાં સુધી કે, ડ્રાઈવરો અને પરિવહન કંપનીઓ દ્વારા બનાવામાં આવેલી મૂર્તિઓ પર પણ પ્રતિબંધ લગાવાની માગ કરી છે.