આતંકવાદી સંગઠન લશ્કર એ ઈસ્લામે રવિવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ટ્રાંજિટ આવાસમાં રહેતા કશ્મીરી પંડિતોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
રાહુલ ભટ્ટની હત્યા બાદ કશ્મીરી પંડિતોની સુરક્ષા પર સવાલ
હત્યા બાદ આ વિસ્તારમાં કશ્મીરી પંડિતોમાં ચિંતા વ્યાપી
આતંકીઓએ આપી ખુલ્લેઆમ ધમકી
જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતોમાં હાલ ડરનો માહોલ છે. બડગામ જિલ્લાના ચદૂરા તાલુકાની ઓફિસમાં ગુરૂવારે સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની આંતકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ કશ્મીરી પંડિતો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. આ તમામની વચ્ચે આતંકવાદી સંગઠન લશ્કર એ ઈસ્લામે રવિવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ટ્રાંજિટ આવાસમાં રહેતા કશ્મીરી પંડિતોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
લશ્કરે ઈસ્લામના આંતકીઓએ એક પોસ્ટ જાહેર કરીને કશ્મીરી પંડિતોને ધમકાવ્યા છે કે, તેઓ ઘાટી દે અથવા તો મરવા માટે તૈયાર રહે, કહેવાય છે કે, આ ટ્રાંજિક આવાસમાં રહેતા મોટા ભાગના કશ્મીરી પંડિતો સરકારી નોકરીઓવાળા છે.
પોસ્ટમાં લખ્યું- તૈયાર રહેજો, તમે મરશો
એક રિપોર્ટમાં હવાલેથી જણાવી છીએ કે, ટ્રાંજિટ આવાસના અધ્યક્ષને લઈને એક પોસ્ટમાં ધમકી આપતા લખ્યું છે કે, તમામ પ્રવાસી અને આરએસએસ એજન્ટ છોડી દો, અથવા તો મોતનો સામનો કરવા તૈયાર રહો. એવા કશ્મીરી પંડિત જે કશ્મીર એક અને ઈઝરાયલ ઈચ્છે છે અને કશ્મીરી મુસ્લિમોને મારવા માગે છે. તેમના માટે અહીં કોઈ જગ્યા નથી. પોતાની સુરક્ષા ડબલ- ત્રણ ગણી કરી દો, ટાર્ગેટ કિલિંગ માટે તૈયાર રહો, તમે મરવાના છો.
રાહુલ ભટ્ટની હત્યા બાદ પ્રદર્શન
આપને જણાવી દઈએ કે, રાહુલ ભટ્ટની હત્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતા કશ્મીરી પંડિતોએ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની માગ કરી રહ્યા છે. આ અગાઉ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઘાટીમાં કશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓને રહેણાંક વિસ્તારામં કડક સુરક્ષા આપવામાં આવશે, તેવી પણ વાત કરી હતી.