ભારતમાં ઓમીક્રોનના વધતાં કેસોની વચ્ચે એક એવો આંકડો આવ્યો છે જે ચિંતાજનક છે, દેશમાં ઘણા બધા લોકો વિદેશથી નથી આવ્યા અને કોઈના સંપર્કમાં નથી આવ્યા તો પણ પોઝિટિવ થઈ ગયા છે.
ઓમીક્રોનને લઈને એક એવો આંકડો સામે આવ્યો છે કે ચિંતામાં વધારો કરી દે એવો છે.
દેશના સાત રાજ્યોના મહાનગરોને એલર્ટ
અત્યાર સુધીમાં, દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાંથી 27 ટકા એવા છે જેઓ ન તો વિદેશ ગયા છે અને ન તો વિદેશથી પરત ફરેલા કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. તેમાંથી, રાષ્ટ્રીય રાજધાની દિલહીમમાંથી પણ ત્રણ કેસ નોંધાયા છે, જેઓ એક ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન સમારોહ દરમિયાન સંક્રમિત થયા હતા. જેના કારણે કેન્દ્ર સરકારે દેશના સાત રાજ્યોના મહાનગરોને એલર્ટ પર રાખ્યા છે.
કમ્યુનિટિ ટ્રાન્સમિશનની તપાસ
જો કે, ઓમિક્રોનનો સામાન્ય લોકોમાં કે કમ્યુનિટિઝમાં ફેલાયેલો છે કે નહીં તેની હજુ સુધી આરોગ્ય મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
પરંતુ કેન્દ્રને ડર છે કે આ મહાનગરોમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો ફેલાવો સૌથી પ્રથમ હોઈ શકે છે. તેથી, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મહાનગરોમાં દરેક કોરોના સંક્રમિત દર્દીના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ તમામ રાજ્યોના આરોગ્ય નિયામક અને સચિવને લેખિત સૂચના પણ આપવામાં આવી છે.
A total of 66,98,09,816 samples tested up to December 23, of which 11,65,887 were tested on December 23: Ministry of Health pic.twitter.com/OLmP1Mzj9L
મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ બુધવાર રાત સુધી દેશમાં ઓમિક્રોનના 222 કેસ નોંધાયા છે. તેમાંથી 60 દર્દીઓના પ્રવાસ અંગે કોઈ માહિતી મળી નથી.
આ તમામ કેસ દિલ્હી અને મુંબઈ જેવા મોટા મહાનગરોના રહેવાસી છે. આથી મંત્રાલયે જીનોમ સિક્વન્સિંગ માટે રાજ્યોને પત્ર લખ્યો છે.
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્ક સાથે સંકળાયેલ લેબને પણ આ વિશે જાણ કરવામાં આવી છે. જેથી દરેક કોરોના સંક્રમિત દર્દીની જીનોમ સિક્વન્સિંગ કરી શકાય. દિલ્હીમાં ગયા બુધવારથી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં ચાર લેબમાં લગભગ 100 થી 125 સેમ્પલ સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે 2 ડિસેમ્બરે દેશમાં પહેલા બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા.
મેટ્રોમાં સ્થાનિક ક્લસ્ટરો બનાવવામાં આવી રહ્યા છે
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડાયરેક્ટર ડૉ. સુજીત કુમાર સિંઘે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મહાનગરોમાં ઓમિક્રોનના કમ્યુનિટિ ટ્રાન્સમિશનનું જોખમ વધારે છે. આ કારણે મહાનગરોમાં સ્થાનિક ક્લસ્ટરો પણ દેખાય છે. તેથી, રાજ્યોએ વધુને વધુ સર્વેલન્સ વધારવાની જરૂર છે. આ કેસોને સમયસર વધતા રોકવા માટે ક્વોરેન્ટાઇન, તપા અને આઇસોલેશન પર વધુ સારું કામ કરવું પડશે.