ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે યોગીના જીવને જોખમ છે. ત્યારે આતંકીઓ કેમ તેમને મારવા માંગે છે. કેવી રીતે અને ક્યાં તેમની હત્યાનો પ્લાન આતંકીઓએ બનાવ્યો છે?
UPમાં ગોરખનાથ મંદિરમાં CM યોગી પર આતંકી હુમલાનો ખતરો
ગુપ્તચર એજન્સીઓએ આપ્યું અલર્ટ
પત્રકારના સ્વાંગમાં આવી આતંકી કરી શકે છે હુમલો
ગોરખનાથ મંદિરની સુરક્ષા વધારી દેવાઈ
ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિરમાં CM યોગી આદિત્યનાથ પર આતંકીઓ હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાનું અલર્ટ આપ્યું છે. જેને પગલે યોગી તથા ગોરખનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ આપતા કહ્યું છે કે આતંકીઓ પત્રકારીના વેશમાં આવી શકે છે. પત્રકારના સ્વાંગમાં આવી આતંકીઓ હુમલો કરી શકે છે. હુમલાના ખતરાને લઈને મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. CMનાં કાર્યક્રમનાં કવરેજ માટે એજ પત્રકારો પ્રવેશ કરી શકશે. જેમની પાસે પોલીસ દ્વારા જાહેર કરાયેલા ઓળખપત્ર હશે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેમજ કેમ યોગીની હત્યાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પર ભૂતકાળમાં અનેક વાર આતંકી હુમલા કરી તેમની હત્યાનું કાવતરુ ઘડાયુ હોવાનું ગુપ્તચર એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.