રશિયા યુક્રેન વોર વચ્ચે અમેરિકાએ પણ પરમાણુ યુદ્ધનો ખતરો દર્શાવ્યો છે અને હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન એક એવો આદેશ આપી ચૂક્યા છે જેણે આખી દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે.
રશિયા યુક્રેન યુદ્ધનો આજે 25 મો દિવસ
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ઈરાદા સામે શંકા
ન્યુક્લિયર વોર થવાની સંભાવના
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે આજે 25 મો દિવસ છે. યુદ્ધ હજુ અટકવાનું નામ નથી લેતું પરંતુ તેની સામે ચિંતા વધે તેવી ઘટનાઓ બની રહી છે. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી ભલે દુનિયાના દેશો પર દબાવ વધારવા માટે અને યુદ્ધમાં વિરામ માટે આજીજી કરતાં હોય પરંતુ રશિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનના ઈરાદા કઈંક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે.
ન્યુક્લિયર વોર ઇવેક્યુએશન ડ્રિલ કરવાની માંગ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 'ન્યુક્લિયર વોર ઇવેક્યુએશન ડ્રિલ' કરવાની માંગ કરી છે જેણે દુનિયા આખીને ચોંકાવી દીધી છે. પશ્ચિમી દેશો સાથે રશિયાની સ્થિતિ વધારે બગડશે કારણ કે રશિયાની આ માંગ પરમાણુ યુદ્ધ તરફ લઈ જઈ શકે એવી છે.
થઈ શકે છે મોટી તબાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાના મૃત સૈનિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં પુતિનની 'ન્યુક્લિયર વોર ઇવેક્યુએશન ડ્રિલ'કરવાની માંગ તબાહી મચાવવા માટે હોય શકે છે.
રશિયાએ એવું પણ એલાન કર્યું હતું કે તેણે kinzhal હાયપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ એટલી ખતરનાક છે કે યુક્રેનના તમામ મોટા મોટા હથિયારો કે જે પશ્ચિમી દેશો તરફથી મદદમાં મળ્યા હતા તેનો વિનાશ કરી ચૂકી છે અને હજુ દુનિયામાં કોઈ દેશ પાસે તેનો જવાબ નથી. એવું પણ માનવામાં આવે છે કે તેનો ઉપયોગ માત્ર યુક્રેનને ચેતવણી અપવા માટે કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ પણ આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા પર ચેતવણી આપવામાં આવી હતી કે રશિયા કોઈ પણ સમયે પરમાણુ હુમલો કરી શકે છે.