પાકિસ્તાની આંતકીવાદી જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે કાશ્મીર ઘાટીમાં અર્ધસૈનિક બળોની 100 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર પર મોટા આતંકી હુમલાનો ખતરો મંડારાઇ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમા રાખતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રિડની મહત્વની બેઠક કરી. સૂત્રોનું માનીએ તો સુરક્ષા એજન્સીઓની પાસે આતંકી હુમલાના ઇનપુટ છે. આ ઇનપુટ પ્રમાણે પાકિસ્તાની આતંકવાદી સમૂહ જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું છે. આ કારણ છે કે કાશ્મીર ઘાટીમાં અર્ધસૈનિક બળોની 100 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
શુક્રવારે ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું હતું જેના પ્રમાણે ઘાટીમાં સીઆરપીએફની 50, બીએસએફની 10, એસએસબીની 30, આઇટીબીપીની 10 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
Top govt sources: NSA Ajit Doval had held a meeting of counter-terrorism grid in Jammu and Kashmir in view of this major terrorist attack threat in the Kashmir valley.
The decision to deploy the troops is to further strengthen the counter terrorist grid in the state. https://t.co/3aIwuruuUX
જણાવી દઇએ કે આતંકવાદી 15 ઑગસ્ટ અથવા એની આસપાસ આતંરી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં રહે છે. કેટલીક વખત આતંકીઓએ ઘાટીના રસ્તા દેશના વિભિન્ન ભાગોમાં આતંકી હુમલાને અંજામ આપવાનો પ્લાન તૈયાર કર્યો, જેને સુરક્ષા એજન્સીઓએ નાકામ કરી દીધી. ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને જોતા નરેન્દ્ર મોદી સરકાર કોઇ જોખમ લેવા ઇચ્છતી નથી.
કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી ચાલુ છે જેની વિરુદ્ધ સુરક્ષા દળ કડક કાર્યવાહી કરી રહ્યા છે. શનિવારે શોપિંયામાં સુરક્ષા બળોએ બે આતંકીઓનો ઠાર કર્યો હતો. માર્યા ગયેલા બે આતંકવાદીઓમાંથી એક જેશ એ મોહમ્મદનના પાકિસ્તાની આતંકવાગી મુન્ના લાહોરી હતી. એ આઇઇડી બનાવવામાં માહિર હતો.
પોલીસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બોનબાજાર ક્ષેત્રમાં મુઠભેદમાં માર્યો ગયો બીજો આતંકવાદી જીનાતુલ ઇસ્લામી કાશ્મીરી હતો. એ તુર્કવાંગમ ગામનો હતો.