લોકસભાની ચૂંટણીનો દેશમાં રંગ જામ્યો છે. જ્યારે ગુજરાતમાં પણ ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ગઇકાલે કુંવરજી બાવળીયાનો ધાક-ધમકી વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે આજે રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે.
લોકસભા ચૂંટણીમાં નેતાઓના વિવાદીત નિવેદનો હજુ પણ યથાવત છે અને ચૂંટણી પંચ દાંત અને નહોર વિનાનો વાઘ હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. હવે ભાજપના રાજકોટના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય સામે ધમકીભર્ય શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.
કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાન ડોડીયા સાથે તઓ વાત કરી કહે છે કે, કોઢારિયામાંથી 70થી 75 ટકા મત કાઢી આપજો અને નહીં મળે તો તમારી મંડળી બધુ બંધ થઇ જશે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, શું આ રીતે મત મેળવશે નેતાઓ. શું તેમને પોતાના કરેલા કામ પર વિશ્વાસ નથી કે અથવા તો કહીં શકાય કે કોઇ કામ કર્યા નથી. જો કામ કર્યા હોય તો કોઇને મત માટે ધમકી આપવી ન પડે. અહિંયા સવાલ એ છે કે, મત માટે આવા શબ્દોનો ઉપયોગ કેટલો યોગ્ય છે.
તમને જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામ લોકોએ પાણીના પ્રશ્ને ઉઘડો લીધો હતો. આ દરમિયાન કુંવરજી બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવાનાં પ્રયત્નો કર્યા હતા. કુંવરજી બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે, તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી થઇ રહ્યો.
જે વીડિયો જસદણના કનેસરા ગામનો હોવાની શક્યતા છે. જ્યાં ગ્રામજનોએ બાવળિયાનો ઉધડો લેતા બાવળિયાએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં તમે મને 45 ટકા મત આપ્યા. જો મત આપ્યો હોત તો તમારા ગામમાં વિકાસ થયો હતો. તો બોઘરાએ જણાવ્યું કે, તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી થતો. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગ્રામજનોએ કુંવરજી બાવળિયાનો વિરોધ નોંધાવ્યો હતો.