ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મદદથી તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતી રીતે મુખ્યમંત્રી આવાસના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. અંદર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા છે. આ દરમિયાન વિક્રમાદિત્ય માર્ગ પર આવનારા વાહનોનુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઇએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી અપાઇ ચૂકી છે. આ ધમકી આપનારા કામરાન અમીન ખાનની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારબાદ તેણે ધમકી આપવાની વાત સ્વીકારી પણ હતી.