અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં ત્રણ દિવસ માટે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઔદુમ્બર બ્રાહ્મણ સમાજ દ્વારા વિશ્વકલ્યાણની ભાવના સાથે મહાયાગનું આયોજન કરાયુ હતું.
એક હજાર દીવડાની આરતી સાથે ત્રિદિવસીય વિષ્ણુયાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લીધો હતો.
મહત્વનું છે કે ઔદુમ્બર બ્રાહ્મણ સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન શામળિયાના પટાંગણમાં રવિવારથી ત્રણ દિવસનો વિષ્ણુયાગનું આયોજન કર્યું હતું.
આ યજ્ઞમાં 11 પરિવાર પૂજામાં યજમાન તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન નેત્ર યજ્ઞ કેમ્પ અને ચશ્મા વિતરણનું આયોજન કરાયું હતું.