સીએમ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છ ભારત અભિયાન હેઠળ હજારો નાગરિકો જોડાયા છે. સીએમ રૂપાણીએ સ્વચ્છ સાબરમતી અભિયાનનો પ્રારંભ કર્યો છે. ત્યારે પહેલા દિવસે જ સાબરમતી નદીમાંથી 30 મેટ્રિક ટન કચરાનો નિકાલ થયો છે. પ્રથમ દિવસે જ હાજરોની સંખ્યામાં શહેરીજનો આ અભિયાનમાં જોડાયા. મહત્વનું છે કે, આ અભિયાન આગામી 9મી જૂન સુધી ચાલશે. ત્યારે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે સીએમ રૂપાણીએ પણ લોકોને અપીલ કરી છે અને આ અભિયાનમાં જોડાવા માટે તથા શ્રમદાન માટે પણ અપીલ કરી છે.