તોળાતું સંકટ / હજારોની સંખ્યામાં જર્જરિત મકાનોમાં રહેતા અમદાવાદીઓ ક્યારે સ્માર્ટ સીટીમાં રહેવા જશે!

Thousands of Dilapidated homes in Ahmedabad

અમદાવાદમાં તાજેતરમાં જ અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની એક 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 10 જેટલાં લોકો દટાયાં છે. અમરાઇવાડીનાં જનતાનગર ટોરેન્ટ પાવરની સામે 100 વર્ષ જૂની આ બિલ્ડીંગ એકાએક ધરાશાયી થતા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 મહિલાઓનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં ફાયર વિભાગ દ્વારા પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જો કે આ મકાન ધરાશાયી થયા બાદ અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ