અમદાવાદમાં તાજેતરમાં જ અમરાઇવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂની એક 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 10 જેટલાં લોકો દટાયાં છે. અમરાઇવાડીનાં જનતાનગર ટોરેન્ટ પાવરની સામે 100 વર્ષ જૂની આ બિલ્ડીંગ એકાએક ધરાશાયી થતા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 મહિલાઓનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં ફાયર વિભાગ દ્વારા પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જો કે આ મકાન ધરાશાયી થયા બાદ અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે.
આ ઘટનાને ધ્યાનમાં રાખતા સ્માર્ટ સીટી કહેવાતા એવાં અમદાવાદમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીને લઇ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં મકાનો હાલમાં પણ જર્જરિત હાલતમાં છે. શહેરમાં વર્ષો જુના મકાનો એવાં છે કે જે જર્જરિત હાલતમાં છે.
Gujarat: A three-storey building collapses in Amraiwadi area in Ahmedabad. Rescue operation underway. pic.twitter.com/jRtU4Tae7h
જુના અમદાવાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં જર્જરિત મકાનો યથાવત હાલતમાં છે. શહેરનાં સરસપુર, દરિયાપુર ખમાસા, શાહપુર જેવાં વિસ્તારોમાં જર્જરિત મકાનો જોવાં મળી રહ્યાં છે. આવા મકાનો ગમે ત્યારે કાટમાળમાં ફેરવાઇ જાય તેવી હાલતમાં જોવાં મળી રહ્યાં છે.
મહત્વનું છે કે શહેરમાં જ્યારે આવાં હજારોની સંખ્યામાં મકાનો જર્જરિત હાલતમાં છે ત્યારે બની શકે છે કે ચોમાસામાં આ ભયજનક મકાનોની તૂટવાની શક્યતાઓ વધી જાય છે. શહેરનાં કોટ વિસ્તારમાં નાનાં-મોટાં મળીને આશરે ત્રણ હજારથી પણ વધુ મકાનો જર્જરિત હાલતમાં છે. શહેરનાં કોટ વિસ્તારનાં આ ભયજનક મકાનનો ક્યારેય સર્વે જ નથી કરાયો.
આ હજારો મકાનોમાં હજારો નાગરીકો પોતાનાં જીવનાં જોખમે આ મકાનોમાં વસવાટ કરી રહ્યાં છે. વર્ષમાં કેટલાંય મકાનો તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે. કોર્પોરેશન તંત્રની ઉદાસીનતાના કારણે આ ઘટનાઓ ઘટી રહી છે. તમને જણાવી દઇએ કે કોર્પોરેશનનાં સ્લમ કવાર્ટર્સ અને ફાયરબ્રિગેડનાં કવાર્ટર્સ પણ રહેવાલાયક નથી.