દિલ્હીમાં એક રવિદાસ મંદિરને તોડી પાડ્યાના વિરોધમાં આજે દેશભરના વિભિન્ન ભાગોથી આવેલ દલિત સમુદાયના લોકોએ હાથોમાં બ્લૂ રંગના ઝંડા લઇને ઝંડેવાલાનથી રામલીલા મેદાન સુધી બુધવારે પ્રદર્શન કર્યું. દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીની હાઇકોર્ટેના આદેશ પર 10 ઓગસ્ટે મંદિર તોડી પાડ્યું હતું.
પ્રદર્શન કરનાર લોકોએ કેન્દ્ર સરકારને ફરી મંદિર બનાવવાની માંગ કરી છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રદર્શનકારી 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા. એમણે સરકાર પાસે માંગ કરી કે સંબંધિત જમીન દલિત સમુદાયને સોંપવામાં આવે અને મંદિર બીજીવાર બનાવવામાં આવે.
મંદિર તોડી પાડ્યા બાદ આ મામલો રાજનૈતિક રંગ પકડી રહ્યો છે. કેમકે રાજનૈતિક પાર્ટીઓ તુગલકાબાદના સંબંધિત સ્થળ પર અથવા કોઇ અન્ય વૈકલ્પિક સ્થળ પર મંદિર બનાવવાની માંગ કરી રહી છે.
આ મામલે 13 ઓગસ્ટે પંજાબમાં દલિત સમુદાયે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં દિલ્હીના સામાજિક ન્યાય મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ, ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ અને આ સમુદાયના આધ્યાત્મિક નેતા હાજર હતા.
દિલ્હીના તુગલકાબાદમાં શનિવારે દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીએ એક 500 વર્ષ જુના સંત રવિદાસ મંદિરને તોડી પાડ્યું હતું. જેને લઇને હવે દિલ્હીથી પંજાબ સુધી રાજનીતિ ગરમાઇ છે.