શાસ્ત્રોમાં આપણા જીવનને યોગ્ય બનાવવા માટે ઘણી એવી વાતો જણાવવવામાં આવી છે જે આપણા દૈનિક જીવન સાથે જોડાયેલી છે. તેમાંથી એક ખોરાક લેવની રીત અને લીધેલા ભોજનનું પાચન છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારના લોકો હેલ્થી ડાયટ લે તો પણ તેમને ખોરાક પચતો નથી. આચાર્ય ચાણક્યએ પણ સ્વસ્થ મગજ માટે આ આદતોથી દૂર રહેવા માટે સલાહ આપી છે.
ભયભીત થઈને ખોરાક લેનારા
જે લોકો કોઈ પણ ડરને મનમાં લઈ બેઠા છે કે ડરી ડરીને ભોજન કરી રહ્યા છે તેમને ખોરાક સરળતાથી નથી પચતો. આવા લોકોના શરીરને લીધેલા ખોરાકનો પૂરો લાભ નથી મળતો.
ગુસ્સમાં ખોરાક ગ્રહણ કરાનારા
જે લોકો ક્રોધમાં આવીને ખોરાક લે છે તેમને પાચન તંત્રને ખોરાક પચાવવામાં ખાસ્સી મહેનત કરવી પડે છે માટે ખોરાક લેતી વખતે ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ.
લાલચમાં ડૂબેલા લોકો
જે લોકો ખોરાક લેતી વખતે લાલચમાં ડૂબેલા રહે છે તેઓ ભલે લાલચને પૂરી કરી લે છે પણ તેઓ પોતાના શરીરનું નુક્સાન કરી રહ્યા છે. લાલચ એક પાપ કર્મ છે ખાસકરીને જ્યારે તેઓ બીજાની સંપત્તિને પડાવવાની કે ચોરવાની ફિરાકમાં છે.
રોગની અવસ્થામાં
જે લોકોને કોઈ પણ બીમારી છે અને તેઓએ તેનો સારો ઉપચાર કરાવવો જોઈએ. આવુ ન કરવા પર શરીરની તમામ ઉર્જા તે રોગ સામે લડવામાં પૂરી થઈ જાય છે અને ભોજન પચાવવામાં પાચનતંત્રને ખુબ મહેનત કરવી પડે છે સાથે જ ભોજનનો પૂરો લાભ લેવામાં શરીર અસમર્થ રહે છે.
વેર ભાવ રાખનારા
જે લોકો કોઈના પણ સાથે વેરભાવ રાખે છે અને દરેક સમયમાં તે વ્યક્તિને હાનિ પહોંચાડવાનો પ્લાનિંગ કરતા હોય છે તેમના દ્વારા ખવાયેલા ભોજનનો પૂરો લાભ તેમના શરીરને મળતો નથી. આ એક ખરાબ ટેવ છે જે બિમારી તરફ ધકેલતી રહે છે.