હસ્તરેખા શાસ્ત્ર મુજબ જીવન રેખા, હૃદય રેખા અને મસ્તિષ્ક રેખા દરેક માણસના હથેળીમાં હોય છે. આ સિવાય ઘણા માણસની હથેળીમાં ધન સંબંધી રેખાઓ પણ હોય છે. આ સિવાય રેખાઓ સાથે મળીને અમુક વિશેષ ચિન્હ પણ બને છે.
જેની હથેળીમાં હોય છે આ ત્રણ વસ્તુ
એવા વ્યક્તિની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત હોય છે
હથેળીનો શુક્ર પર્વત ભૌતિક સુખને દર્શાવે છે
નાણાની સ્થિતિને દર્શાવે છે આ રેખાઓ અને નિશાન
આ જીવનની આર્થિક સ્થિતિને દર્શાવે છે. એવામાં જાણીએ કે હથેળીની કઈ રેખા અને ચિન્હ નાણા અંગે દર્શાવે છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીનો શુક્ર પર્વત ભૌતિક સુખને દર્શાવે છે. હથેળીનો સૂર્ય પર્વત માન-સન્માન અને પ્રસિદ્ધી અંગે જણાવે છે. જ્યારે ગુરૂ પર્વતથી નેતૃત્વ ક્ષમતાની ખબર પડે છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં આ ત્રણ પર્વતોની સ્થિતિ સારી છે તો તેને અમીર બનતા કોઈ રોકી શકતુ નથી.
હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો હથેળીની મસ્તિષ્ક રેખા, જીવન રેખા અને ભાગ્ય રેખા મળીને અંગ્રેજીના M નુ નિશાન બનાવી રહી છે તો માણસ 35-55 વર્ષના સમયગાળામાં ખૂબ નાણા કમાય છે. આ સાથે એવા લોકો લગ્ન બાદ ખૂબ રૂપિયા કમાય છે. આ સિવાય આવા લોકો નોકરી-વ્યાપારમાં ખૂબ પ્રગતિ કરે છે.
હસ્તરેખા શાસ્ત્ર મુજબ અમુક લોકોની હથેળીમાં ભાગ્ય રેખા જ નાણાની સ્થિતિને દર્શાવે છે. મણિબંધથી નિકળીને કોઈ સીધી રેખા શનિ પર્વત સુધી પહોંચે છે તો એવામાં અચાનક નાણા લાભ થાય છે. આવા લોકોને મહેનતથી વધુ ભાગ્યનો સાથ મળે છે.