શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ શરદ પવાર અને સોનિયા ગાંધીની મુલાકાત બાદ પોતાના તેવર બદલ્યા છે.હાલ સુધી સરકાર બનાવવાનો દાવો કરનારા રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી શિવસેનાની નથી. જેની જવાબદારી છે તેઓ ભાગી ચૂક્યા છે અને મને ભરોસો છે કે અમે જલ્દી જ સરકાર બનાવી લઈશું.
મહારાષ્ટ્રમાં હાલ સુધી સરકાર બનાવવાને લઈને દમ દેખાડી રહેલી શિવસેના અચાનક બેકફૂટ પર આવી ગઈ છે. સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે સરકારના ગઠબંધનને લઈને કંઇ પણ સ્પષ્ટ રીતે કહેવાની મનાઈ કરી હતી. આ પછી તેને મળવા પહોંચેલા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ મુલાકાત બાદ બદલાયેલા રૂપમાં જોવા મળ્યા હતા. હાલ સુધી સરકાર બનાવવાનો દાવો કરી રહેલા સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી શિવસેનાની નથી, જેની જવાબદારી છે તેઓ ભાગી ચૂક્યા છે. પરંતુ મને ભરોસો છે કે અમે જલ્દી જ સરકાર બનાવી લઈશું.
Sanjay Raut,Shiv Sena after meeting NCP Chief Sharad Pawar: The responsibility to form Govt was not ours, the ones who had that responsibility ran away, but I am confident that soon we will have a Govt in place. #MaharashtraGovtFormationpic.twitter.com/79hXJifMNe
શિવસેનાને કોઈ પણ પ્રકારનો ભરોસો આપવાને લઈને મૌન સેવ્યું
હાલ સુધી સરકાર બનાવવાનો દાવો કરનારા સંજય રાઉતે કહ્યું કે આ જવાબદારીની વાત છે. તેમનું આ નિવેદન જણાવે છે કે ક્યાંક કોઈ દાવપેચ ફસાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથેની મુલાકાત બાદ એનસીપી ચીફ શરદ પવારે શિવસેનાની સાથે કોઈ મિનિમમ કોમન પ્રોગ્રામ પર સહમતિની મનાઈ કરી છે. એટલું જ નહીં તેઓએ સરકાર બનાવવાને લઈને શિવસેનાને કોઈ પણ પ્રકારનો ભરોસો આપવાને લઈને મૌન સેવ્યું હતું.
સોનિયાની સાથે મુલાકાત બાદ પવારે આપ્યો મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે એક સમયે 170 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરનારી શિવસેનાને શરદ પવારે સોનિયા ગાંદી સાથેની મુલાકાત બાદ એક પ્રકારનો ઝટકો આપ્યો છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ફક્ત કોંગ્રેસ અને એનસીપી જ આની પર નિર્ણય લઈ શકે નહીં અમે અમારા અન્ય સહયોગીઓ સાથે પણ વાત કરીશું. તેની પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ સરકાર રચવાને લઈને નિર્ણય થઈ જશે.
NCP કરશે ખેલ? હવે બેકફૂટ પર જોવા મળ્યા સંજય રાઉત
એનસીપીને ટાળવાને લઈને હવે એક વાત સીધી દેખાઈ રહી છે તે એ છે કે હાલમાં શિવસેનાની સરકાર બનશે નહીં. તે હજુ પણ સમય ઈચ્છે છે. અથવા તો હજુ પણ કેટલીક રાજકીય રમતો રમવાના મૂડમાં છે. પવારના નિવેદન બાદ તરત જ શિવસેનાના સાંસદ ઘરે પહોંચ્યા અને ત્યાંથી નીકળતી સમયે જવાબદારીની વાત કરી હતી.