કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના કોકરાઝારમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પક્ષ જે પોતાના કાર્યકાળમાં શાંતિ લાવી શકી નથી કે વિકાસ કરી શકી નથી, તે આજે અમને સલાહ આપી રહી છે.
અમિત શાહ પહોંચ્યા આસામના પ્રવાસે
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કહ્યું- છેલ્લા 70 વર્ષમાં જે વિકાસ નથી થયો તે છેલ્લા 5 વર્ષમાં થયો છે
આટલા વર્ષોથી અસમ લોહિયાળ રહ્યું, બોડો પ્રદેશ લોહીથી રંગાયેલ રહ્યો, તમે શું કર્યું? જે કંઈ કર્યું તે ભાજપ સરકારે જ કહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જો ભ્રષ્ટાચાર મુક્ત, ઘુસણખોર મુક્ત, આતંકવાદ મુક્ત અને પ્રદૂષણ મુક્ત આસામનું નિર્માણ કરવાનું છે, તો પીએમ મોદીના નેતૃત્વ હેઠળ માત્ર ભાજપ જ કરી શકે છે.
છેલ્લા 70 વર્ષમાં જે વિકાસ નથી થયો તે છેલ્લા 5 વર્ષમાં થયો છે
બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) કરાર પર હસ્તાક્ષર થયાની પહેલી વર્ષગાંઠ પર કોકરાઝારમાં આયોજિત સમારોહમાં શાહે કહ્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી આસામને રક્ત રંજીત કરતી રહી છે. અલગ- અલગ આંદોલન કરતી રહી. છેલ્લા 5 વર્ષમાં આસામમાં જે વિકાસ થયો છે તે છેલ્લા 70 વર્ષોમાં થયો નથી. આસામી-બિન-આસામી, બોડો-ગેરબોડો કરવા વાળાને ઓળખો. આ લોકો રાજકીય રોટલા શેકવા માટે આવી વસ્તુઓ કરી રહ્યા છે.
શાહે લોકોને આગામી ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે આસામમાં એનડીએ સરકાર બનાવવા અને બોડોલેન્ડનો વિકાસ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ વર્ષે આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
8 જુદા જુદા હત્યારા જૂથોએ હથિયાર નીચે મૂક્યાની કરી વાત
ગૃહ પ્રધાને કહ્યું કે બોડો પીસ એકોર્ડ બાદ બ્રુ-રેંગ કરાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 8 જુદા જુદા હત્યારા જૂથોએ હથિયાર નીચે મૂક્યા અને શાંતિનો માર્ગ પસંદ કર્યો. આ આખી પ્રક્રિયા આપણને વિકાસની દિશામાં લઈ જશે. આજથી એક વર્ષ પહેલા બોડો શાંતિ કરાર પર વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ હસ્તાક્ષર થયા હતા. બોડો પીસ એકોર્ડ સાથે વડા પ્રધાને સંદેશ આપ્યો હતો કે ઉત્તર પૂર્વમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં વાતચીત થવી જોઈએ અને શાંતિનો માર્ગ મોકળો કરવો જોઇએ.