જો તમે પણ SBIના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. SBIએ તેના ઘણા ગ્રાહકોના ખાતા બંધ કરી દીધા છે. જો તમારું પણ SBIમાં ખાતું છે તો તરત જ એકાઉન્ટ ચેક કરો.
SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
SBIમાં ખાતું છે તો તરત જ ચેક કરો એકાઉન્ટ
બેન્કે ઘણા ખાતાઓ કર્યા બંધ
જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે ઘણા ખાતા બંધ કરી દીધા છે. હવે આ ગ્રાહકો કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. હકીકતે બેંકે તે ખાતા બંધ કરી દીધા છે. જેમની KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. આ પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં તેમના એકાઉન્ટ બંધ કરવા વિશે પોસ્ટ કર્યું છે.
ગ્રાહકો કરી રહ્યા છે ફરિયાદ
સોશિયલ મીડિયા પર ઘણા ગ્રાહકો બેંકને ફરિયાદ કરી રહ્યા છે કે બેંકે પહેલા જાણકારી આપ્યા વિના બેંક એકાઉન્ટ બંધ કરી દીધું છે. જોકે કેટલાક લોકો કહે છે કે આ નિયમ લાગુ કરવા માટે પસંદ કરવામાં આવેલ સમય ગ્રાહકો માટે યોગ્ય નથી. મોટાભાગના લોકો માટે આ પગારનો સમય છે અને આવી સ્થિતિમાં ખાતું બંધ થવાને કારણે લોકો તેમના પૈસા ઉપાડી શકતા નથી. બેંક દ્વારા અગાઉથી જાણ ન કરવાને કારણે મોટાભાગના ગ્રાહકોને આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બેંક દ્વારા કરવામાં આવી વારંવાર અપીલ
બેંકના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે આ અંગે ગ્રાહકોને જાણ કરવામાં આવી હતી. અગાઉ ગ્રાહકોને પત્રો પણ મોકલવામાં આવતા હતા. બેંક દ્વારા KYC કરાવવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી હતી.
જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SBIનું લોગિન પોર્ટલ કેવાયસી અપડેટ્સ પર ગ્રાહકોને કોઈ સામાન્ય સુચના કે ચેતવણીઓ બતાવી રહ્યું નથી. આ માહિતી ગ્રાહકને ત્યારે જ મળે છે જ્યારે તે એટીએમ અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય.
KYCને લઈને કડક પગલાં
1 જુલાઈથી બદલાતા નિયમોમાં KYCને લઈને વારંવાર અપડેટ આપવામાં આવતી હતી. વધતી જતી છેતરપિંડી અને ફ્રોડના કારણે રિઝર્વ બેંકે પણ સતત KYC અપડેટ કરવાની સલાહ આપી છે. અગાઉ, બેંકો દ્વારા 10 વર્ષમાં એકવાર KYC અપડેટ કરવામાં આવતું હતું. પરંતુ હવે દર ત્રણ વર્ષે અપડેટ થઈ રહ્યું છે.