આઈપીએલ 2021માં ઘણાં નવા પ્લેયર્સ ડેબ્યૂ કરતા જોવા મળશે જ્યારે ઘણાં એવા પણ પ્લેયર્સ છે જે કદાચ આગામી આઈપીએલમાં રમતા જોવા નહીં મળે અને આ તેમની છેલ્લી આઈપીએલ સિઝન છે. જાણીએ એવા પાંચ દિગ્ગજ પ્લેયર્સ વિશે જેમના માટે આઈપીએલની 14મી સિઝન છેલ્લી હોઈ શકે છે.
આઈપીએલ 2021માં ઘણી ટીમોએ પ્લેયર્સને રિલીઝ કર્યાં છે
દિગ્ગજ પ્લેયર્સને ટીમ ફ્રેન્ચાઇઝે રિટેન ના કર્યા
દિગ્ગજ પ્લેયર્સનું ફોર્મ ચિંતાજનક
1097 ખેલાડીઓએ આઈપીએલ 2021માં રજિસ્ટ્રેશન કરાવ્યું છે
IPL 2021 માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. જે હરાજીમાં સામેલ થવા માટે કુલ 1097 ખેલાડીઓે પોતાનું નામાંકન કરાવ્યું છે. જેમાથી 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓ છે. લિસ્ટમાં સામેલ થનાર ખેલાડીઓમાં 863 અનકેપ્ડ છે જ્યારે 207 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. આઈપીએલની 14મી સિઝનમાં અમુક નવા ખેલાડીઓ સામેલ થવા જઈ રહ્યાં છે જ્યારે અમુક દિગ્ગજ ખેલાડીઓ માટે આ છેલ્લી સિઝન હોઈ શકે છે.
કેપ્ટન્સી છોડવાનાં સંકેત આપ્યા હતા
ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવનાર 40 વર્ષિય ધોની માટે આ સિઝન છેલ્લી હોઈ શકે છે. જોકે ધોની અંગે ધારણા કરવી થોડી અઘરી છે કેમકે તેનાં નિર્ણયો હંમેશા સસ્પેન્સથી ભરપૂર હોય છે. ચેન્નાઈ માટે આઈપીએલની લાસ્ટ સિઝન ખૂબ ખરાબ રહી હતી. ચેન્નાઈની ટીમ આઈપીએલનાં ઈતિહાસમાં પહેલીવાર પ્લોએફ માટે ક્વોલિફાય નહોતી થઈ શકી. ચેન્નાઈએ 14 મેચોમાં 6 જીત સાથે 12 અંક પ્રાપ્ત કર્યાં હતા. છેલ્લી મેચ જીતીને ધોનીએ કહ્યું હતું કે ટીમને પોતાના કોર ગ્રૂપમાં ફેરફાર કરવાની જરુર છે. સાથે તેણે કેપ્ટન્સી છોડવાનાં પણ સંકેત આપ્યા હતા. પણ આઈપીએલની 14મી સિઝનમાં ધોની જ કપ્તાની કરતો જોવા મળશે.
12 મેચોમાં કંગાળ પ્રદર્શન રહ્યુ હતું
વિકેટકીપર બેટ્સમેન રોબિન ઉથપ્પા માટે આ વર્ષનું આઈપીએલ છેલ્લુ હોઈ શકે છે. જોકે આ વખતે ઉથપ્પા ચેન્નાઈ તરફથી રમતો જોવા મળશે. રાજસ્થાને ટ્રેડિંગ નિયમ અંતર્ગત રોબિન ઉથપ્પાને ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે ટ્રેડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજસ્થાને ઉથપ્પાને ત્રણ કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2020માં આ વિકેટકીપર બેટ્સમેને કુલ 12 મેચોમાં ફક્ત 196 રન બનાવ્યા હતા.
2020ની આઈપીએલમાં નહોતો જોડાઈ શક્યો
આઈપીએલી 2021ની હરાજી પહેલા ચેન્નાઈની ટીમે તેનાં 6 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જેમાં હરભજન સિંહનું નામ પણ સામેલ છે. આ વર્ષની હરાજી માટે હરભજન સિંહની બેઝ પ્રાઇઝ બે કરોડ રુપિયા છે. ગત સિઝનમાં હરભજન સિંહ આઈપીએલમાં જોડાઈ નહોતો શક્યો. તેણે અમુક કારણોસર 2020માં પોતાનું નામ પાછુ ખેંચી લીધુ હતું. હરભજન આઈપીએલનાં ઈતિહાસમાં સ્પિનરનાં રુપમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર્સમાં સામેલ છે. કદાચ આઈપીએલની 14મી સિઝન તેના માટે છેલ્લી સિઝન સાબીત થઈ શકે છે.
બેટિંગ ફોર્મ ચિંતાજનક
અંબાતી રાયડુ છેલ્લા ઘણાં વર્ષોથી ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ રહ્યો છે. તેણે ચેન્નાઈને ઘણી મેચો જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પણ ગત સિઝનમાં તેનું ફોર્મ ખરાબ જણાઈ રહ્યું છે. 2019માં તેણે વિશ્વકપમાં પસંદગી ના મેળવવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જોકે તે પર્યત પણ તેણે ફરીથી વાપસી કરી હતી.
7 મેચમાં ફક્ત 6 વિકેટ ખેરવી હતી
પીયુષ ચાવલાને આઈપીએલ 2019ની હરાજીમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ઘણી આશાઓ સાથે મોટી રકમ આપીને ખરીદ્યો હતો. ચેન્નાઈએ ચાવલા પર 6.75 કરોડની બોલી લગાવી હતી. પણ ગત સિઝનમાં તેનું પ્રદર્શન સારુ નહોતુ નીવડ્યુ. તેણે પોતાની ટીમ માટે 7 મેચ રમીને ફક્ત 6 વિકેટ ખેરવી હતી. પોતાના નબળા પર્ફોર્મન્સ ને લીધે પણ બની શકે કે પીયુષ ચાવલા માટે 2021ની આઈપીએલ છેલ્લી હોઈ શકે.