ભારતમાં એટીએમ ફ્રોડ, નેટ બેન્કિંગ, ડેબિટ-ક્રેડિટકાર્ડથી ફ્રોડના કિસ્સાઓમાં ગઇ સાલની તુલનાએ ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
નેટ બેન્કિંગ-ATM ફ્રોડની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો
દિલ્હી હવે ફ્રોડ કેપિટલ બનતી જાય છે
એટીએમ ફ્રોડના કિસ્સા સૌથી વધુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં થયા છે
દેશભરમાં ફ્રોડના જેટલા કિસ્સા થયા છે તેમાંથી ૨૭ ટકા કિસ્સા એકલા દિલ્હીમાં નોંધાયા
આમ દિલ્હી હવે ફ્રોડ કેપિટલ બનતી જાય છે. દેશભરમાં ફ્રોડના જેટલા કિસ્સા થયા છે તેમાંથી ૨૭ ટકા કિસ્સા એકલા દિલ્હીમાં નોંધાયા છે. ૨૦૧૮-૧૯માં ફ્રોડથી રૂ. ૧૪૯ કરોડનું નુકસાન થયું હતું, જ્યારે ૨૦૧૭-૧૮માં નુકસાનનો આંકડો રૂ.૧૭૯ કરોડનો હતો.
એટીએમ ફ્રોડના કિસ્સા સૌથી વધુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં થયા છે. માર્ચ-૨૦૧૯ સુધીના ડેટા અનુસાર દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ૫૮,૦૦૦ એટીએમ હતાં. રૂ. બે લાખના કેશ ઉપાડ સંબંધિત ફ્રોડમાં પ્રત્યેક પાંચ ફ્રોડમાં એક ફ્રોડ એટીએમ દ્વારા થયો છે. એટીએમના ફ્રોડમાં બીજા સ્થાને આઇડીબીઆઇ બેન્ક છે અને તેના ૩,૭૦૦ એટીએમ પૈકી ૧,૮૦૦ ફ્રોડ કેસ નોંધાયા છે. દેશમાં એટીએમના પ્રમાણમાં આઇડીબીઆઇ એટીએમનો હિસ્સો માત્ર ૧.૮ ટકા છે. એપ્રિલ-૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન એટીએમ ફ્રોડની કુલ સંખ્યામાં ૧૫ ટકા આઇડીબીઆઇના એટીએમ દ્વારા ફ્રોડ થઇ હતી.