આવતીકાલે ઉત્તરાયણ છે અને મકરસંક્રાંતિના દિવસે કરેલું પુણ્યદાન અનેકગણું ફળ આપે છે, તેવું શાસ્ત્રની દ્રષ્ટિએ માનવામાં આવે છે. સંક્રાંતિએ ચંદ્ર વાયુમંડળમાં હોવાથી આ વર્ષે દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ રહે.
મકરસંક્રાંતિએ કરેલું પુણ્યદાન અનેકગણું ફળ આપે છે
સંક્રાંતિએ ચંદ્ર વાયુમંડળમાં હોવાથી દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ રહે
સાયન્સ પ્રમાણે આ વખતે મકરસંક્રાંતિનું ફળ મધ્યમ રહે
આ વખતે મકરસંક્રાંતિનું ફળ મધ્યમ રહે
ઉત્તરાયણ અને દક્ષિણાયન બે અયનો છે. લગભગ સૂર્ય દર મહિનાની 14-15-16 જાન્યુઆરીની તારીખોમાં રાશિ બદલે છે. જાન્યુઆરી 2023ની ઉત્તરાયણ પોષ વદ-7ને શનિવારે છે. આ ગણતરી મુજબ જાન્યુઆરી 2024નુ ઉત્તરાયણ પોષ સુદ ત્રીજ રવિવારે આવે છે. જાન્યુઆરી 2024ની ઉત્તરાયણ 26 કલાક 44 મિનિટે થાય છે. જેમાં લગભગ 10 મિનિટ જેવો ફરક આવે છે. આ ગણતરી અંદાજીત છે. સાયન્સ પ્રમાણે આ વખતે મકરસંક્રાંતિનું ફળ મધ્યમ રહે. ચંદ્ર વાયુમંડળમાં હોવાથી આ વર્ષમાં દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ વધુ રહેવાની સંભાવના ગણાય.
ઉત્તરાયણે પવન 17 કિ.મી. સુધી ફૂંકાશે
ઉત્તરાયણના પવન સાથે જોતા આ વખતે આ દિવસે બપોર પહેલા પવનની ગતિ આશરે 13 થી 17 કિલોમીટરની ઝડપથી રહેવાની સંભાવના રહે. કેટલાંક ભાગોમાં 9 થી 10 કિલોમીટરની ઝડપનો પવન રહે. આંચકાના પવનથી ગતિ વધી શકે છે. બપોર બાદ પવનની ગતિ મંદ પડી શકે. 15મી જાન્યુઆરીએ પવનની ગતિમાં વધારે ફેરફાર નહીં રહે. પવનની દિશા જોતા, પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઈશાનની રહેવા સંભવ રહે. દિવસ દરમ્યાન દિશા બદલાયા કરે. કોઈ કોઈ ભાગમાં દક્ષિણ ઉત્તરની રહી શકે. જુદા-જુદા ભાગમાં પવનની દિશા બદલાઈ શકે.