આ વર્ષે ૩૧ ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી આવે છે અને 10 વર્ષ બાદ ગણેશ ચતુર્થીના દિવસે બુધવાર આવી રહ્યો છે. જાણો વિગતવાર
31 ઓગસ્ટના રોજ છે ગણેશ ચતુર્થી
10 વર્ષ બાદ બુધવારે આવી રહી છે ગણેશ ચતુર્થી
આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી મળે છે શુભ ફળ
31 ઓગસ્ટના રોજ છે ગણેશ ચતુર્થી
ભાદ્રપદ્ર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનાં રોજ ઘર ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૩૧ ઓગસ્ટનાં રોજ છે. આ ગણેશ ચતુર્થી પર એક એવો અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે, જે ધર્મ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશનાં જન્મ સમયે બન્યો હતો. આ કારણે આ ગણેશ ચતુર્થી ગણપતિની કૃપા મેળવવા માટે અત્યંત ખાસ છે.
10 વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ
ગણેશ પુરાણ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ્ર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનાં રોજ થયો હતો અને આ દિવસે બુધવાર હતો. આ વર્ષે પણ ભાદ્રપદ્ર ચતુર્થી બુધવારે છે. આવા શુભ સંયોગમાં ગણપતિની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનના બધા સંકટ દૂર થાય છે અને સુખ - સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત આ ગણેશ ચતુર્થી પર રવિ યોગ પણ બની રહ્યો છે. પૂજા પાઠ માટે આ યોગને અત્યંત શુભ માનવામાં આવે છે.
ગણેશ સ્થાપના માટે શુભ મુહુર્ત
૩૧ ઓગસ્ટનાં રોજ ગણેશ સ્થાપના માટે 2 મુહુર્ત અત્યંત શુભ માનવામાં આવે છે. આમાં અમૃત યોગ સવારે 7:05 વાગ્યાથી 8:40 વાગ્યા સુધી રહેશે. જ્યારે બીજો યોગ સવારે 10:15થી 11:50 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન પૂરા ભક્તિભાવથી ગણપતિની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. ગણપતિને નારિયળ, મોદક, સોપારી, કેળા અર્પિત કરવા જોઈએ.