EPFOની તરફથી ગયા નાણાકીય વર્ષ માટે નક્કી વ્યાજદકની રકમ આ વર્ષે જલ્દી ખાતામાં આવશે. મામલા સાથે જોડાયેલા બે અધિકારીઓએ કહ્યું છે કે નાણા મંત્રાલયે EPFO ટ્ર્સ્ટની તરફથી સુચવવામાં આવેલા 8.1 ટકા વ્યાજને વગર સમીક્ષાએ મંજૂરી આપી શકે છે.
EPFOના સબ્સક્રાઈબર્સ માટે જરૂરી ખબર
6 કરોડ કર્મચારીઓના ખાતામાં વહેલું આવી શકે છે વ્યાજ
જાણો તેના વિશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO આ વર્ષે પોતાના કરોડો સબ્સક્રાઈબર્સને મોટી ભેટ આપી શકે છે. EPFOની તરફથી નાણાકીય વર્ષ 2021-22એ વ્યાજના પૈસા આ વર્ષે જલ્દી જ કર્મચારીઓના ખાતામાં આવી જશે.
એક રિપોર્ટ્સ અનુસાર EPFO સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે દર વખતની જેમ આ વખતે વર્ષે કર્મચારીઓને ડિસેમ્બર સુધી રાહ નહીં જોવી પડે. સંગઠન જલ્દી વ્યાજના પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારીમાં છે. તેનો લાભ ઈપીએફઓમાં રજીસ્ટર્ડ લગભગ 6 કરોડ કર્મચારીઓને મળશે. સરકારે 2021-22માં પીએફ પર 8.1 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં પીએફના પૈસા ડિસેમ્બરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
દશેરા-દિવાળી સુધી મળી જશે પૈસા
મામલા સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે શ્રમ મંત્રાલય હેઠળ આવતું EPFO આ વર્ષે દશેરા-દિવાળી સુધી કર્મચારીઓના ખાતામાં વ્યાજના પૈસા મોકલી દેશે. તેમણે કહ્યું, મને નથી લાગતું કે નાણાકીય મંત્રાલયને 8.1 ટકા વ્યાજદરના પ્રસ્તાવને મંજૂરી આપવામાં વધારે મુશ્કેલી આવશે. સાથે જ આ વર્ષનું વ્યાજ જલ્દી જ ખાતામાં મોકલી દેવામાં આવી શકે છે.
આમ તો સરકારી સિસ્ટમમાં જ્યા સુધી વસ્તુઓની ઓફિશિયલ જાહેરાત ન કરવામાં આવી હોય તેને નક્કી નથી માનવામાં આવતું. પરંતુ આ વાતની સંપૂર્ણ આશા છે કે આ વર્ષે વ્યાજની રકમ બે-ત્રણ મહિના પહેલા જ મળી જશે.
બે કારણોથી જલ્દી જ પૈસા મળવાની આશા
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે વ્યાજના પૈસા જલ્દી મળવાની પાછળ એક મોટુ કારણ છે. પહેલું એ કે પીએફ પર વ્યાજદર હાલ 8.1 ટકા છે. જે 43 વર્ષના નિચલા સ્તર છે. એવામાં નાણામંત્રાલયની તરફથી તેના માટે સમીક્ષા કરવાની સંભાવના ખૂબ જ ઓછી છે. બીજુ કારણ એ છે કે જલ્દી જ પૈસા ટ્રાન્સફર કરવાથી EPFOની નાણાકીય સ્થિતિનો લાભ પહોંચશે અને પીએફ સેટલમેન્ટ માટે તેનો બોજો ઓછો પડશે.