ભારતમાં નિષ્ણાંતોએ એવું જણાવ્યું છે કે દેશમાં ભલે કોરોના હવે સ્થાનિક મહામારીમાં આવ્યો પરંતુ આપણે દાયકા સુધી માસ્ક પહેરી રાખવું પડશે.
ફરિદાબાદની ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટરની સલાહ
લોકોએ દાયકાઓ સુધી માસ્ક પહેરીને રહેવું પડશે
ભારતમાં કોરોના હવે સ્થાનિક મહામારીની કક્ષામાં આવ્યો છે
ફરિદાબાદની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના પલ્મોનોલોજીના એડિશનલ ડિરેક્ટર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર રવિ શેખરે જણાવ્યું કે વેક્સિનેશન ન કર્યું હોવા છતાં પણ જે લોકો સુરક્ષિત રહ્યાં છે તેનું મુખ્ય કારણ તેમના દ્વારા સતત માસ્ક પહેરી રાખવું છે. તેમણે સલાહ આપી કે SARS CoV-2 ભલે સ્થાનિક મહામારીમાં ફેરવાઈ ગયો હોય પરંતુ માસ્ક પહેરી રાખવું જરુરી છે. આપણા કદાચ આપણે દાયકાઓ સુધી માસ્ક પહેરીને રહેવું પડશે.
યોગ્ય માસ્ક પહેરીને તમે સુરક્ષિત રહી શકો
પુણેની મણિપાલ હોસ્પિટલના ચેપી રોગ નિષ્ણાત મહેશ લાખેએ જણાવ્યું હતું કે માસ્ક સાર્સ-કોવ -2 ના સંક્રમણને ઘટાડવામાં અસરકારક છે જ્યારે તે સતત અને યોગ્ય રીતે પહેરવામાં આવે છે. કોવિડનું નિદાન સરળ છે. લાખેએ કહ્યું, "રસીકરણ અને શારીરિક અંતર તેમજ યોગ્ય રીતે માસ્ક પહેરીને, તમે તમારી જાતને અને અન્યને સુરક્ષિત કરી શકો છો. આ પગલું કોરોના ફેલાવાની સંભાવનાને ઘટાડવામાં મદદ કરે છે.
માસ્ક પહેરવું બંધ કરવું મુશ્કેલી સર્જી શકે છે
ડૉ. ઝાએ કહ્યું, "ભારત ચોક્કસપણે માસ્ક-મુક્ત થઈ જશે, પરંતુ બહુ જલદી નહીં. આપણે જોયું છે કે જ્યારે આપણે તેની સામે આપણી સલામતી ઘટાડીએ છીએ ત્યારે ચેપમાં વધારો જોવા મળે છે. બીજી લહેર પૂરી થયા પછી, લોકોએ માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું બંધ કરી દીધું હતું અને અમે બધાએ તેનું પરિણામ જોયું છે. આ વાયરસના ફેલાવાની સંભાવનાને જોતાં, સમય પહેલા માસ્ક પ્રેક્ટિસ બંધ કરવાથી આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુકાઈ શકીએ છીએ."
મહામારી હજુ પૂરી થઈ નથી, સાવધાન રહેવાની જરુર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવી કોમેન્ટ કરી છે કે, હજુ આ મહામારીનો અંત આવ્યો નથી. તાજેતરમાં નીતિ આયોગના સભ્ય-આરોગ્ય ડો.વીકે પોલે પણ કહ્યું હતું કે, દેશમાં એકંદરે કોરોનાની સ્થિતિ આશાવાદી છે. જો કે ભારત પોતાના સુરક્ષા ઉપાયોમાં ઘટાડો કરી શકે તેમ નથી. એક પત્રકાર પરિષદને સંબોધતા ડો.પોલે કહ્યું, "એકંદરે, દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ આશાવાદી છે. જો કે કેરળ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં હજુ પણ મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે અમારા સુરક્ષા પગલાંને ઘટાડી શકતા નથી.