મહાશિવરાત્રિ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો એક સારો દિવસ છે. તે દિવસે ભોળાનાથના ઉપાસક તેમની પુજા અર્ચના કરે છે.
મહાશિવરાત્રી પર કરી લો પૂજા
101 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ
પૂજા કરવાની સાચી રીત જાણી લો
શિવ પર્વ આ વર્ષે વધુ ખાસ થવા જઇ રહ્યુ છે. મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચના રોજ છે અને જ્યોતિષોના કહ્યાં અનુસાર 101 વર્ષ બાદ આ તહેવાર પર વિશેષ સંયોગ બની રહ્યો છે.
જ્યોતિષીઓનું કહેવુ છે કે મહાશિવરાત્રિના દિવસે શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ આવવાથી તહેવારનું મહત્વ વધુ સારુ થઇ જાય છે. આ શુભ સંયોગ વચ્ચે મહાશિવરાત્રિ પર પૂજા ખુબ જ કલ્યાણકારી માનવામાં આવે છે.
ફાગણ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી યુક્ત ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. 11 માર્ચ ગુરુવારે ત્રયોદશી અને ચતુર્દશી મળી રહ્યા છે. આ દિવસે શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્ર મળી રહ્યાં છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ આ દિવસે જ થયા હતા.
ભોળાનાથના વિવાહમાં દેવી દેવતાઓ સહત દાનવ, કિન્નર, ગંધર્વ, ભૂત , પિશાચ પણ સામેલ થયા હતા. મહાશિવરાત્રિ પર શિવલિંગને ગંગાજળ, દૂધ, ઘી, મધ અને સાકર મિક્સ કરીને સ્નાન કરાવવામાં આવે છે.
ત્રણ સંયોગનુ મૂર્હુત
11 માર્ચે સવારે 9.24 સુધી શિવ સંયોગ છે. તે બાદ સિદ્ધિ યોગ જે12 માર્ચ સવારે 8.23 સુધી રહેશે. રાત્રે 9.45 સુધી ઘનિશષ્ઠા નક્ષત્ર રહેશે.
ક્યા છે શુભ મૂર્હુત
આ વર્ષે મહાશિવરાત્રિ પર નિશીથ કાળમાં પૂજાનુ મૂર્હુત રાત્રે 12 વાગીને 06 મિનીટથી 12 વાગીને 54 મિનીટ સુધી રહેશે. પૂજાનો સમય 48 મિનીટ મળશે.
કેવી રીતે કરશો પૂજા
સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લોય તે બાદ માટીના લોટામાં પાણી કે દૂધ ભરીને તેના પર બિલિપત્ર નાંખો. ધતુરાના ફૂલ અને ચોખા પણ ઉમેરો બાદમાં તે શિવલીંગ પર ચડાવો. જો તમે મંદિર જઇ શકો તેમ નથી તો ઘરમાં જ માટીનુ શિવલીંગ બનાવીને તેના પર અભિશેક કરી શકો છો.