અમદાવાદમાં રહેતી મહિલા આવા કોરોના દર્દીઓના મૃતદેહને સ્થળાંતર કરે છે. કોરોના કાળમાં દર્દીઓની સારથી બનીને મદદરૂપ થઈ રહી છે.
સામાન્ય રીતે કોરોના નામ પડતાની સાથે જ લોકો ગભરાતા હોય છે. અમદાવાદમાં રહેતી મહિલા આવા કોરોના દર્દીઓના મૃતદેહને સ્થળાંતર કરે છે. કોરોના કાળમાં દર્દીઓની સારથી બનીને મદદરૂપ થઈ છે. 14 વર્ષથી એબ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધુ દર્દીઓ તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે.
આમ તો મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ સંકોચિત નજરે જોવામાં આવે છે. પણ અમદાવાદમાં રહેતી આ મહિલા આવી વિચારવાળા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ છે. કર્મનિષ્ઠ મહિલાનું નામ ગીતાબેન પુરોહિત છે. ગીતાબેન પુરોહિત છેલ્લા 14 વર્ષથી પ્રાઈવેટ એમ્બેયૂલન્સ ચલાવે છે. ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે.
ગીતાબેન રાત્રે પણ તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. અને ડેડ બોડી તેમજ દર્દીઓને નિયત સ્થળે પહોંચાડે છે. આ સેવાનું કાર્ય તેવો સતત 14 વર્ષથી કરે છે. અત્યાર સુધી તેમને 5 હજારથી વધુ લોકોની સેવા કરી છે. ગીતાબેને જીવનમાં ઘણા સંઘર્ષ પણ કર્યા છે.
14 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું. અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી. આવી તકલીફ કોઈને પડે નહીં તે માટે તેમને એબ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ગીતાબેન દર્દીઓને લઈ જતાં હતા. જે બાદ તેમને ડેડ બોડી અટેન કરવાનું શરૂ કર્યું. કોરોના સમયમાં પણ અનેક કોરોના મૃતદેહોને તેમને એમ્બ્યુલન્સ મારફતે નિયત સ્થળ પર પહોંચડયા છે. જોકે તેમને કોઈ જાતનો ડર નથી.
ફેમેલીએ તેમના આ કામને શરૂમાં વખોડયું હતું. અને તેમને આ કામ ન કરવાની સલાહ આપી હતી. પણ ગીતાબેને આ કાર્યને સેવાનું કામ માની આગળ વધ્યા હતા..અત્યારે ગીતાબેન સામાન્ય ચાર્જ લઈને આ સેવાકીય કાર્ય કરી રહયા છે.