આજે ૨૧ જાન્યુઆરી અને પોષી પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણનો યોગ બન્યો છે. આજે થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જેના કારણે લોકોએ કોઈ પણ નિયમ પાળવાના પણ રહેશે નહીં.
પરંતુ ખગ્રાસ ચંદ્રગ્રહણના કારણે બારેય રાશિઓ પર સારી-ખરાબ અસર પડતી હોય છે. જેમાં આજનું ખગ્રાસ ચંદ્રગ્રહણ મેષ કર્ક વૃશ્ચિક અને મીન રાશિનાં જાતકો માટે શુભ ફળ આપનારું રહેશે.
પોષ સુદ પૂનમના દિવસે થનારું આજનું ચંદ્રગ્રહણ કર્ક રાશિમાં થશે. જે ભારતમાં નહીં દેખાય પરંતુ આ ગ્રહણ મધ્ય પેસિફિક અમેરિકા યુરોપ અને આફ્રિકામાં દેખાશે.
ગ્રહણ સ્પર્શ ભારતીય સમય અનુસાર દિવસે ૦૯.૦૪ મિનિટે થશે જ્યારે ગ્રહણ મોક્ષ બપોરે ૧૨.૨૧ મિનિટે રહેશે. ગ્રહણના કારણે મેષ કર્ક વૃશ્ચિક અને મીન રાશિનાં જાતકોને શુભ અસર વર્તાશે.
વૃષભ કન્યા મકર અને કુંભ રાશિ માટે મિશ્ર ફળ મળશે જ્યારે મિથુન સિંહ તુલા અને ધન રાશિનાં જાતકો માટે ગ્રહણ અશુભ ફળ આપનારું રહેશે. આ ગ્રહણ પૂરું થયા બાદ નદી કે સરોવરમાં સ્નાન કરવું ઉત્તમ મનાય છે.
આજ પછી બીજું ગ્રહણ ૨જુલાઈએ થશે મિથુન રાશિમાં થનારું આ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ત્યાર બાદ ૧૭ જુલાઈ એ થનારું ધન રાશિનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણની બારેય રાશિ પર આ પ્રમાણે અસર થઈ શકે તેવું જ્યોતિષશાસ્ત્રીઓનું માનવું છે.
મેષ: સ્ત્રી વર્ગ માટે શુભ રહેશે આકસ્મિક લાભ થશે.
વૃષભ : સરકારી કાર્યમાં સફળતા મળશે ભાતૃ વર્ગથી લાભ થશે.
મિથુન: વાણીમાં સંયમ વરતવો આર્થિક સંકટ દૂર થશે.
કર્ક: વિચારોમાં સ્થિરતા પ્રાપ્ત થશે હિત શત્રુઓથી સાવધ રહેવું.
સિંહ: યાત્રા પ્રવાસના યોગ બને માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
કન્યા: આવકમાં વૃદ્ધિ થશે અણધાર્યો લાભ પ્રાપ્ત થશે.
તુલા: પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે નવી તક પ્રાપ્ત થશે.
વૃશ્ચિક: સારા સમાચાર મળશે પરિવાર સાથે આનંદદાયક સમય વ્યતીત થશે.
ધન: ઉતાવળિયાં કાર્ય કરવાં નહીં સરકારી નિયમોનું પાલન કરવું.
મકર: લગ્ન ઇચ્છુક માટે શુભ દિવસ ભાગીદારીના કાર્યમાં લાભ થશે.
કુંભ: આળસ વૃત્તિ ત્યાગ કરવી વધુ મહેનતે સફળતા મળે.
મીન: અગત્યના નિર્ણય લેવા. પરિવારના મોભીની સલાહ લેવી.શુભ કાર્યમાં યોગદાન આપી મન પ્રસન્નતા અનુભવશે.